પ્રાચીન કાળથી જ શુકન-અપશુકનની અનકે માન્યતાઓ પ્રચલિત છે
- ગણેશજીના દર્શન માત્રથી જ આપણા અનેક જન્મોના પાપ આપમેળે જ નષ્ટ થઈ જાય છે
- હાથીને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે
શાસ્ત્રો પ્રમાણે કોઈપણ કામની શરૂઆત ભગવાન શ્રીગણેશના નામની સાથે જ જોડવામાં આવે છે. ગણપતિની પૂજા પછી બધા કાર્યો કોઈપણ કાર્ય પરેશાની કે અડચણ વગર પૂર્ણ થઈ જાય છે. ગણેશજીના દર્શન માત્રથી જ આપણા અનેક જન્મોના પાપ આપમેળે જ નષ્ટ થઈ જાય છે અને પુષ્યમાં વધારો થાય છે. અનેકવાર રસ્તામાં આપણે ગણેશજીના પ્રતીક હાથી જોવા મળે છે તો એવા સમયે આપણે શું કરવું જોઈએ તે જાણીએ...
જ્યારે આપણે કોઈ ખાસ કામ માટે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં હાથી જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પ્રચલિત શુકન-અપશુકનમાં હાથીનું દેખાવું શુભ શુકન માનવામાં આવે છે.
પ્રાચીન કાળથી જ શુકન-અપશુકનની અનકે માન્યતાઓ પ્રચલિત છે. એવી અનેક પરંપરાઓનું ચલન છે જેને આજે પણ ઘણા લોકો માને છે. શુકન-અપશુકનને ઘણા લોકો અંધવિશ્વાસ પણ માને છે પરંતુ ઋષિ-મુનિઓ દ્વારા તેનો ઊંડો પ્રભાવ હોવાનું બતાવાયું છે. મોટાભાગે આપણી આસપાસ કેટલીક નાની-મોટી અસામાન્ય કે સામાન્ય ઘટનાઓ ઘટિત થાય છે. આવી ઘટનાઓમાં સફળતા કે અસફળતાના ઈશારે છુપાયેલ સંકેત હોય છે તેને સમજવા જરૂરી હોય છે. હાથી દેખાવું તે પણ એક શુભ સંકેત છે.
કોઈ મહત્વપૂર્ણ કામ માટે જતી વખતે હાથી જોવા મળે તો સમજી જવું જોઈએ કે તમારે જરૂરી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે અને દિવસ સારો વિતશે. તેની સાથે જ હાથી દેખાવાથી ભગવાન શ્રીગણેશનું ધ્યાન કરીને ગણેશમંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. તેનાથી ગણપતિની સાક્ષાત પૂજા થઈ જાય છે. આ પ્રકારે પૂજાથી વ્યક્તિના અનેક કષ્ટો અને પાપોનો નાશ થઈ જાય છે. ધાર્મિક માન્યતા છે કે હાથીનો સીધો સંબંધ પ્રથમ પૂજ્ય દેવ ભગવાન ગણેશ સાથે જ છે. ગણપતિનું મુખ હાથી જેવું જ છે, તેને લીધે ગજરાજ અર્થાત્ હાથીને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે.