Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાવણ સાથે યુદ્ધ પહેલા રામે કર્યો હતો આ સ્તોત્રનો પાઠ, અગત્સ્ય ઋષિએ વિજય માટે આપ્યો આ મંત્ર

આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમીત પાઠ કરવો જોઈએ. હાલ રામાયણનું દૂરદર્શન પર પ્રસારણ થઈ રહ્યુ છે ત્યારે રાવણના વધ પહેલા રામને ભગવાન શિવના શિષ્ય અગત્સ્ય ઋષિ પ્રગટ થઈને રામ પાસે આ પાઠ કરાવ્યો હતો અને ત્યારબાદ રામનો વિજય થયો હતો.

આવી રીતે કરવો આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ

સવારે સ્નાન કરી ભગવાન સૂર્યને તાંબાના લોટામાં જળ ભરી અર્ધ્ય આપવું. શક્ય હોય તો ઘરના મંદિરમાં દર્ભનું આસન પાથરી તેના પર બેસવું. ભગવાન સૂર્યનું ધ્યાન ધરવું અને ऊँ आदित्याय नमः મંત્રનો 11 વાર જાપ કરવો. ત્યારબાદ આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરવો.

રામાયણમાં છે તેનો ઉલ્લેખ

વાલ્મીકિ રામાયણના યુદ્ધ કાંડ (લંકા કાંડ)માં એક કહાની છે કે ભગવાન રામ રાક્ષસો સામે યુદ્ધ કરી રહ્યા હતા. ઘણા રાક્ષસોને માર્યા બાદ અચાનક રાવણ સામે આવી ગયો. ભગવાન રામ થાકેલા હતા, કારણકે યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. તો રાવણ એકદમ તાજોમાજો હતો. ત્યારે ભગવાન શિવના શિષ્ય અગત્સ્ય ઋષિ ત્યાં આવ્યા અને તેમણે ભગવાન રામને ત્રણવાર આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરી યુદ્ધ કરવા કહ્યું. ભગવાન રામે એમ જ કર્યું. આ સ્તોત્રના પ્રભાવથી બધો જ થાક દૂર થઈ ગયો. આ યુદ્ધમાં શ્રીરામે રાવણનો વધ કર્યો હતો.

ગ્ર્ંથો અનુસાર સૂર્યને યશના કારક માનવામાં આવે છે, જેની પૂજાથી માન-સન્માનમાં વધારો થાય છે. રવિવારથી સૂર્યમંત્રોનું જાપ ખૂબ જ લાભદાયી ગણાય છે. નીચે આપેલા મંત્રોનું પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું.

આ છે સૂર્યના લાભદાયી મંત્રો

1. સૂર્ય વેદિક મંત્ર – ॐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યણ્ચ. હિરણ્યયેન સવિતા રથેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન.

2. સૂર્યનું પૌરાણિક મંત્ર – જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ. તમોઅરિં સર્વપાપઘ્રં પ્રણતોડ્સ્મિ દિવાકરમ્

3. સૂર્ય માટે તાંત્રોક્ત મંત્ર – ॐ ઘૃણિ: સૂર્યાદિત્યોમ, ॐ ઘૃણિ: સૂર્ય આદિત્ય શ્રી, ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય: નમ:, ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમ:

4. સૂર્ય નામ મંત્ર – ॐ ઘૃણિ: સૂર્યાય નમ:
5. ॐ હ્રં હીં સ: સૂર્યાય નમ:

6. સૂર્ય ગાયત્રી મંત્ર – ॐ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય: પ્રચોદયાત

આ મંત્રોની રોજ એક માળા ઓછામાં ઓછી કરવી જોઈએ. રોજ સૂર્ય ભગવાનને જળ ચઢાવતા ચઢાવતા પણ આ મંત્રોનો જાપ કરી શકાય. જો તમે સૂર્યના સ્તોત્ર કરવા ઈચ્છતા હોય તો આદિત્ય હૃદય સ્તોત્ર, સૂર્ય સ્તોત્ર કે સુક્તમ્નો પાઠ કરી શકો છો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111408438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now