જીવનું પ્રકૃતિ સાથે જોડાણ
પ્રકૃતિને પ્રેમ કરવાનો મતલબ ખાલી પંખીઓના ફોટા મુકવા, ફૂલોની કવિતા લખવી કે પર્વતો ચઢવા એટલું જ નહીં. પ્રકૃતિનો પ્રેમ એટલે પ્રાકૃતિક રીતે વિચારવું, અનુભવવું અને જીવવું તે. નદીના કિનારે બેસવાથી પારદર્શક અને પ્રવાહી નથી બની જવાતું. ઝાડને અડવાથી ગુણકારી અને ઊપયોગી નથી થઈ જવાતું. પ્રકૃતિ તમારી અંદર જીવવી જોઈએ, તમે પ્રકૃતિમાં નહીં.