શું તમારા લગ્નમાં વિંલબ થઈ રહ્યો છે ! તો અચૂક કરો આ ટોટકા
વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે દિશા અને તમારી આસપાસની વસ્તુઓથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેની અસર વિશે જણાવે છે. વાસ્તુ વિજ્ઞાનના અનુસાર, ઉર્જા જો અનુકૂળ હોય તો તમારી પ્રગતિ થશે અને પ્રતિકૂળ હશે તો તમારી સમસ્યા વધશે અને તે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં અસર કરે છે. તેમજ તમારા લગ્નની ઈચ્છાને પણ અસર કરે છે.
વાસ્તુ વિજ્ઞામમા અનુસાર, કુંવારા છોકરાએ ક્યારે પણ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં ન ઉંઘવું જોઈએ. તેનાથી લગ્ન કરવામાં અડચણ આવે છે. એવું માનવામાં આવે છે તેનાથી સંબંધો પર અસર થાય છે.
કાળા રંગના કપડા અને બીજી વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.તમારે તમારી પથારી એવી રીતે કરવી જોઈએ કે ઉંઘતી વખતે પગ ઉત્તર અને માથુ દક્ષિણ દિશામાં હોય. ઉંઘતી વખતે આ નિયમોની ક્યારે પણ અવગણના ન કરવી જોઈએ.
જે રૂમમાં એક કરતા વધારે દરવાજા હોય તે રૂમમાં વિવાહ યોગ્ય છોકરાએ ઉંઘવું જોઈએ. જે રૂમમાં હવા અને પ્રકાશ ઓછો હોય તો તેવા રૂમમાં ક્યારે ન ઉંઘવું જોઈએ. તમારા રૂમમો કલર ડાર્ક ન હોવો જોઈએ. દીવાલો પર પીળો, ગુલાબી કલર કરાવવો જોઈએ. એવી જગ્યા ઉપર ક્યારે ન ઉંઘવું જોઈએ જ્યાં બીમ દેખાતો હોય. જો કોઈ બીજું તમારી સાથે ઉંઘતું હોય તો રૂમની અંદર તમારી પથારી દરવાજાની પાસે કરવી જોઈએ.