વિશ્વનો જે આત્મા છે તે સૂર્યના જન્મની કથા જાણો
સમસ્ત ચરાચર જગતનો જે આત્મા માનવામાં આવે છે તે સૂર્યથી જ આ પૃથ્વી પર જીવન છે. વૈદિક કાળમાં આર્યો સૂર્યને જ સમસ્ત વિશ્વના કર્તા ધર્તા માનતા હતા. સૂર્ય શબ્દનો અર્થ છે સર્વ પ્રેરક, સર્વ પ્રકાશક અને સર્વ પ્રવર્તક અને સર્વ કલ્યાણકારી છે. ઋગ્વેદમાં સૂર્યનું મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે. યજુર્વેદમાં પરમ તત્ત્વના ચક્ષુમાંથી ઉત્પન્ન થયેલા ગણાવાયા છે. જેમાં લખ્યું છે કે ચક્ષોઃ સૂર્યો જાયત. તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં સૂર્યને પરમાત્મા સ્વરૂપ ગણાવાયા છે. ગાયત્રીમંત્ર સૂર્ય પરક જ છે. સૂર્યોપનિષદમાં સૂર્યને જ સંપૂર્ણ જગતની આત્મા તથા બ્રહ્મ દર્શાવાયા છે. આવા પરમ દેવ કે જેના વિના આ પૃથ્વી પર જીવન શક્ય જ નથી તે સૂર્યના જન્મની કથા પણ સાવ અનોખી છે. આ વિશે બે કથાઓ પ્રચલિત છે.
1. બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયા સૂર્ય દેવ
માર્કેન્ડેય પુરાણમાં જણાવાયું છે કે પહેલાં આ જગત સંપૂર્ણ પ્રકાશ રહિત હતું. જ્યારે બ્રહ્માના મુખથી ૐ પ્રકટ થયા, તે સૂર્યનું પ્રારંભિક સૂક્ષ્મ સ્વરૂપ માનવામાં આવ્યું અને રોશની પ્રગટ થઈ. તે પછી ભૂઃ ભુવ તથા સ્વ શબ્દ ઉત્પન્ન થયા. આ ત્રણેય શબ્દપિંડના રૂપમાં ૐમાં વિલીન થયાં ત્યારે સૂર્યનને સ્થૂળ રૂપ મળ્યું. સૃષ્ટિના પ્રારંભમાં ઉત્પન્ન થવાને કારણે જ આદિત્ય નામથી જ બોલાવવામાં આવે છે.
2. ઋષિ પુત્ર સૂર્ય
અન્ય એક કથા અનુસાર બ્રહ્માજીના પુત્ર મરિચિ તથા મરિચિના પુત્ર કશ્યપના લગ્ન પ્રજાપતિ દક્ષની કન્યા દીતિ અને અદિતિ સાથે થયા. અદિતિના ગર્ભથી સૂર્યદેવનો પુત્ર તરીકે જન્મ થયો. તમામ દેવતા અદિતિના જ પુત્ર હતા. સૂર્ય તેમના નાયક બન્યા અને અસુરોનો સંહાર કર્યો. અદિતિના ગર્ભથી જન્મ લેવાને કારણએ જ તેમને આદિત્ય કહેવામાં આવ્યા. સાથે જ અદિતિને સૂર્યદેવના વરદાનથી હિરણ્યમય અંડને જન્મ આપ્યો. જે પોતાના તેજને કારણે માર્તંડ કહેવાયા. ભવિષ્યપુરાણ, મત્સ્ય પુરાણ, પદ્મ પુરાણ, બ્રહ્મ પુરાણ, માર્કન્ડેય પુરાણ અને સામ્બ પુરાણમાં પણ સૂર્ય સંબંધિત અનેક કથાઓ મળે છે.