ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે સોમવારે શિવલિંગ ઉપર ચઢાવો આ ફૂલ
સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભોળાનાથના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, શિવજીને ફૂલો ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
આમ તો ભોળાનાથ પર ઘણા પ્રકારનાં ફૂલો ચઢાવવામાં આવે જેનું અલગ મહત્વ હોય છે. પરંતુ તેમાથી અમુક ફૂલનું વધારે મહત્વ છે. આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવને ચઢાવવામાં આવતા ફૂલનો શુ અર્થ થાય છે.
શિવ પુરાણના અનુસાર, ભગવાન શિવ સહિત દેવી માં પર પણ ફૂલ ચઢાવવામાં આવે છે. લાલ કે સફેદ આકડાના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
દૂર્વાથી ભગવાન શિવની પૂજા કરવાથી આયુષ્ય વધે છે. અળસીના ફૂલોથી જે મનુષ્ય ભગવાન શિવની પૂજા કરે છે તે વિષ્ણુ ભગવાનનો પ્રિય ભક્ત બની જાય છે.
સફેદ ફૂલોથી પૂજા કરવાથી સુંદર અને સુશીલ પત્ની મળે છે.
મોગરાના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં ક્યારે પણ અનાજની અછત નથી થતી. ધતૂરાના ફૂલોથી પૂજા કરવાથી ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે સમગ્ર પરિવારનું નામ રોશન કરે છે.