હનુમાનજીને યાદ કરાવો તેમની શક્તિ આ સ્તુતિ દ્વારા, પછી જોવા મળશે ચમત્કાર
બજરંગ બલી પાસે અભૂતપૂર્વ શક્તિઓ છે, જે આજે પણ ફળ આપે છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં તેમની આ શક્તિઓનું સુંદર વર્ણન મળે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે તેમને આ વાત યાદ કરાવવી પડે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમની આ સ્તુતિ કરવામાં આવે છે. હનુમાન ચાલીસા પણ એક વિશેષ સ્તુતિ છે. જેમાં હનુમાનની શક્તિઓનું વર્ણન જોવા મળે છે. આ સ્તુતિથી તેમને તેમની શક્તિઓ યાદ આવે છે અને સ્તુતિ કરનારની દરેક મનોકામના તેઓ પૂરી કરી દે છે.
હનુમાનજીને બાળ અવસ્થામાં દેવતાઓએ અનેક વરદાન અને અસ્ત્ર-શસ્ત્ર પ્રદાન કર્યા હતા. આ વરદાનના કારણે બાળ હનુમાન ઉદ્ધત ભાવથી ફરવા લાગ્યા અને પોતાના તોફાનથી તપસ્યા કરતાં ઋષિઓને પણ હેરાન કરતાં. એક સમયની વાત છે કે આવા જ તોફાનના કારણે હનુમાનજીને અંગિરા અને ભૃગુવંશના ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે હનુમાનજી તેમના દરેક વરદાનને ભુલી જશે અને તેમને આ શક્તિઓ ત્યારે જ યાદ આવશે જ્યારે કોઈ તેમને યાદ અપાવશે. આથી હનુમાનજીને તેમની શક્તિઓ યાદ કરાવવી જ પડે. જ્યારે તમે તેનું ગાન કરીને તે યાદ કરાવો એટલે જોવા તરત જ હનુમાન કૃપા.
હનુમાનજીને વ્રજથી પણ મારી ન શકાય તેવું વરદાન દેવરાજે ઈન્દ્રએ આપ્યું હતું. તદઉપરાંત સૂર્ય દેવે તેમને યમના પ્રકોપનો ભોગ નહીં બનવાનું વરદાન આપ્યું હતું. કુબેરે પણ તેમને અસ્ત્ર-શસ્ત્રથી નિર્ભય કર્યા હતા. આવી રીતે દરેક દેવતાના વરદાનથી હનુમાનજી અજર અમર થયા પરંતુ તેમને તેમની શક્તિની યાદ અપાવવી પડે છે, ત્યારપછી તેઓ તેમના ભક્તના તમામ કષ્ટ દૂર કરી દે છે.