દરરોજ કરો ગૌ પૂજન, તેનાથી થાય ગ્રહ દોષો દૂર અને મળે અઢળક ફાયદાઓ
ભારતીય સંસ્કૃતિમાં ગૌ, ગંગા, ગાયત્રીને વિશેષ પૂજનિય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. ગંગા અતિ પવિત્ર છે તેમાં સ્નાન માત્રથી જીવનભરના પાપ ધોવાઈ જાય છે. જ્યારે જે વ્યક્તિ નિત્ય ગાયત્રી કરે છે તેને જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફો પડતી નથી. તે સમાજમાં ઉચ્ચ માનસન્માન મેળવે છે. પૈસે ટકે સુખી હોય છે. કોઈ રોગ થતાં નથી. આયુષ્યમાન હોય છે. તેથી જ ગાયત્રીમંત્ર કરવાનો મહિમા ગવાયો છે. આજે વાત કરીશું જ્યોતિષશાસ્ત્રમાં ગાયને લઈને સૂચવેલા ઉપાયો વિશે… જે કરવાથી ગ્રહદોષો દૂર થાય છે. એટલું જ નહિં જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તેનું પણ શમન થાય છે. તો ચાલો જાણીએ આ વિશે….
ગાય સંબંધી ઉપાયો:
1. રોજ સવારે ઘરમાં રોટલી બને ત્યારે પહેલી રોટલી બનાવીને ગાયને ખવડાવવી. આમ કરવાથી ઘરમાં ધન ધાન્ય ભરપૂર રહે છે.
2. દરરોજ પૂજા અને માંગલિક કાર્યોમાં ગૌ માતા સંબંધિત જોડાયેલી ચીજો જેવી કે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયના દૂધમાંથી બનેલું ઘી વાપરવાથી દેવી દેવતાઓ અતિ પ્રસન્ન થાય છે. તેનાથી વ્યક્તિને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
3. જો ઘરમાં ગાય હોય તો અતિ ઉત્તમ, ઘરમાં રહેલા તમામ વાસ્તુદોષ જાતે જ નાશ પામે છે.
4. જો કોઈ પણ પૂજામાં ગૌથી પ્રાપ્ત થતાં પંચગવ્ય યુક્ત પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તો કરવામાં આવેલા પૂજા પાઠ અને હોમ હવન બેહદ શુભ પરિણામો આપે છે.
5. ગાયની કૃપા મેળવવા માટે નિયમિત પણે ગૌશાળાની મુલાકાત લો અને તેમાં નિયમિત રૂપે ઘાસચારો ગાયોને ખવડાવો.
6. ગૌસેવા અને ગૌપૂજા ઘરની ગમે તેવી વિકટ સ્થિતિ હોય તો તેમાંથી ઉગારો કરે છે. તમામ ગ્રહ દોષો શાંત કરે છે. સંતાનો તેજસ્વી થાય છે. લક્ષ્મી સામેથી આવીને ઘરમાં બરકત લાવે છે.
7. ગાયને રોટલીમાં ગોળ મૂકીને રોજ ખવડાવવી. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઘરમાં મંગળ દોષ રહેતો નથી. ગાયને પાણી પીવડાવવું. તેના માટે ઉનાળામાં પાણી પીવડાવવા મમાટે અવાડા બનાવવા..
8. ગાયના દૂધથી શિવલિંગને અભિષેક કરવાથી શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે. વ્યક્તિને સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.
9. જો કોઈ યાત્રાએ જતાં હોય તો ગાય વાછરડાંના શુકન લઈને જવાથી યાત્રા સફળ નિવડશે. યાત્રા પર જતી સમયે ગાયના દર્શન થાય કે રાતે ગાયના ભાંભરવાનો અવાજ સંભળાય તો યાત્રા શુભ, નિર્વિઘ્ન અને વિશેષ ફળદાયી નિવડે છે.
10. ગાયની પૂજાથી વિશેષ કરીને ગૌરી માતા અતિ પ્રસન્ન થાય છે. એ પરિવાર પર દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરિવારની સર્વ પ્રકારે સુખાકારી પ્રાપ્ત થાય છે.