Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંત્રોનો સંબંધ છે તરંગ શાસ્ત્ર સાથે, ઉચ્ચારણમાં ભૂલ નોંતરે વિનાશ

વૈદિક ગ્રંથોમાં, વેદોમાં અનેક વિશિષ્ટ મંત્રો આપવામાં આવેલા છે. તે એટલાં શક્તિશાળી છે કે તેનાથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે. દરેક મંત્રોની વિશિષ્ટતા હોય છે. પંચાક્ષરી, ષડાક્ષરી, નવાણ મંત્ર, દ્વાદસાક્ષરી, ષોડશી મંત્ર… આ દરેક મંત્રોનું ચોક્કસ ફળ હોય છે. કોઈ પણ મંત્રમાં તેનું ઉચ્ચરણ અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે મંત્રોનો સંબંધ તરંગ શાસ્ત્ર સાથે છે. ચોક્કસ ઉચ્ચરણ સાથે ચોક્કસ તરંગો હવામાં પ્રતિપાદિત થાય છે. આ તરંગો જ્યારે બ્રહ્માંડમાં પહોંચે છે ત્યારે ચોક્કસ પ્રકારની અસર પેદા કરે છે. જો મંત્રના ઉચ્ચરણમાં ભૂલ થાય તો તે વિનાશ નોંતરે છે.

દરેક મંત્રમાં જેટલા અક્ષર હોય છે તેની પસંદગી મંત્રના ફળ અનુસાર કરવામાં આવેલો હોય છે. મંત્રના અક્ષરો અનુસાર તેના ફળમાં પણ ફેરફાર થઈ જાય છે. જેમકે “ॐ નમ: શિવાય” મંત્રમાં 6 અક્ષર છે તેથી તેને ષડાક્ષરી મંત્ર છે. જો તેમાં ॐનો ઉપયોગ ન કરવામાં આવે તો તે પંચાક્ષરી મંત્ર બની જાય છે. તેવી જ રીતે

“ॐ નમો ભગવતે વાસુદેવાય” દ્વાદસક્ષરી

મંત્ર છે. મંત્રોના પ્રયુક્ત અક્ષરોની સંખ્યાના આધારે મંત્રોની પસંદગી કરી અને સંબંધિત દેવી-દેવતાઓની સાધના કરવામાં આવે છે. પોતાના મનની ઈચ્છા અને ઉદેશોની પૂર્તિ માટે મંત્રોનો જાપ કરી અને તેમનું આહવાન કરવામાં આવે છે.

મંત્ર એવું માધ્યમ છે કે જેના દ્વારા ભગવાનને પ્રાર્થના અને યાચના કરવી. તેનાથી જાતકનો શારીરિક, માનસિક, ભૌતિક તેમજ આધ્યાત્મિક વિકાસ સંતુલિત રીતે થાય છે. આ સંતુલન વ્યક્તિને સુખી બનાવી શકે છે. મંત્ર શાસ્ત્રને પૂર્ણ વિકસિત આધ્યાત્મિક વિજ્ઞાનની સંજ્ઞા આપી શકાય છે. કારણ કે મંત્રોનું સાચી રીતે ઉચ્ચારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે.

મંત્રોનો જાપ જો વૈદિક રીતે અને પૂર્ણ શુદ્ધતા તેમજ શ્રદ્ધાથી કરવામાં આવે તો તેમાંથી નીકળતી તરંગો સંબંધિત દૈવી શક્તિની તરંગો સાથે સંપર્ક સ્થાપિત કરી દે છે. આ તરંગોની જાણકારી આપણા ઋષિ-મૂનિઓને હતી. તેથી જ તેઓ તપ કરી અને ભગવાન સાથે આ તરંગોના માધ્યમથી સંપર્ક સ્થાપિત કરતાં હતા. પરંતુ તેના માટે જરૂરી છે કે મંત્રનો ઉચ્ચાર યોગ્ય રીતે કરવામાં આવે. જો તેમ ન થાય તો નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે અને તે નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી જ કોઈપણ મંત્રનો જાપ કરતાં પહેલાં તેને યોગ્ય રીતે સમજી લેવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111363963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now