ધનવાન બનવા માટે કરો આ ટોટકા, ઘરમાં હંમેશા રહેશે બરકત
દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેના ઘરે પણ દેવી લક્ષ્મીની કૃપા વરશે. આપણા શાસ્ત્રોમાં પણ લક્ષ્મીને બધી સુખ-સુવિધાની દેવી માનવામાં આવે છે. તેમજ હિન્દુ શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાંક ઉપાયો પણ છે. ધન સિવાય માતા લક્ષ્મીનું એક બીજુ રૂપ છે અન્ન. અન્નનું અનાદાર તે લક્ષ્મીનું અનાદાર માનવામાં આવે છે. એટલા માટે ભોજન કરતી વખતે કેટલાંક નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે. આજે અમે તમને જણાવીશું એવી કેટલીંક બાબતો વિશે જેનું પાલન કરીને તમે પણ ધનવાન બની શકો છો
કેટલાંક લોકોની આદત હોય છે કે તે પોતાનો બધો ક્રોધ ભોજન પર ઉતારતા હોય છે, અથવા તો ક્રોધમાં આવીને ભોજનની થાળીને ફેંકી દેતા હોય છે અથવા ભોજન કર્યા વગર ઉભા થઈને જતા રહે છે. આવું કરવું લક્ષ્મી દેવીનું અપના થાય છે એટલા માટે મનુષ્યએ ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો જોઈએ.
પીપળાના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી મિક્સ કરીને પીપળાને ચઢાવવું. આવું કરવાથી બહુ લાંબા સમય સુધી ઘરમાં ક્યારે પૈસાની કમી ઉભી નહીં થાય અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે.
જો કોઈ એવું કામ જેને પૂરુ કરતા પહેલાં કોઈના કોઈ અડચણ આવતી હોય તો તમે શુક્રવારના દિવસે કીડીઓને ખાંડ નાખો. આ કામ નિયમિત કરવાથી ક્યારે ઘરમાં ધનની કમી નહી રહે અને અટકેલા કામ પણ થઈ જશે. તેમજ ધન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં અને અથવા કામ કરવા માટે ઘરની બહાર જતા પહેલા દહીં અને ખાંડ અવશ્ય ખાવું.