ભગવાન શિવ પણ જેમની આરાધના કરે છે તેવી શક્તિનો મહિમા
બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલાં, અંધકારથી ઉત્પન્ન થતી મહાન શક્તિ અથવા આખા બ્રહ્માંડની રચના કરવાની શક્તિને "આદ્ય અથવા આદિ શક્તિ' તરીકે ઓળખવામાં આવે છે . અંધકારથી જન્મેલ હોવાથી, તે "કાલિ' તરીકે ઓળખાય છે. જુદી જુદી ક્રિયાઓ અનુસાર, આ દેવીઓને સંખ્યાબંધ ગુણાત્મક સ્વરૂપો અપનાવ્યા છે, સર્વપ્રથમ શક્તિ હોવાથી, તેઓ આદ્ય-શક્તિ તરીકે ઓળખાય છે.
માટે ઘરમાં રહેલી નારીઓ, પછી તે દિકરી, માતા, બહેન, બા કે કોઈ પણ સ્વરૂપમાં હોય, તેમનું કદી પણ અપમાન ન કરવું જોઈએ.
એકવાર ભગવાન શિવને નારદજીએ તેમના આરાધ્ય દેવ વિશે પૂછ્યું, શિવજીએ જવાબ આપ્યો કે, "જેને લોકવ્યવહારમાં આપણે દેવી જગદંબા કહીએ છીએ, તે જ આ વિશ્વની "મૂળભૂત પ્રકૃતિ' છે. વ્યહવારમાં બ્રહ્માજી આ વિશ્વનાં સર્જનહાર, પાલન કરનાર છે ભગવાન વિષ્ણુ અને હું શિવ સંહારકર્તા છું! પરંતુ આ ત્રણેય કાર્યો માતા ભગવતી થકી જ થાય છે. તેઓ ભગવતી દેવી એક જ છે, પરંતુ વૈવિધ્યસભર કાર્યો કરવા માટે તેણે અલગ-અલગ રૂપો ધારણ કર્યા છે.
જેમને આપણે દેવી સતી, હિમાલયની પુત્રી "પાર્વતી', વિષ્ણુની પત્ની લક્ષ્મીજી, બ્રહ્માજીની પત્ની સરસ્વતી કે સાવીત્રી જેવા વિવિધ નામો કે રૂપથી જાણીએ છીએ.
એક સમયે માત્ર અંધકાર હતો, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ વગેરે નિરર્થક હતા. દિવસ અને રાત જેવું કોઈ વિભાજન નહોતું, ત્યાં કોઈ પ્રકારની આગ ન હતી અને કોઈ દિશાઓ પણ ન હતી, તે સમયે ફક્ત બ્રહ્માની "શક્તિ' જ હતી, જેને વેદ "સત્ અને એકમાત્ર' સ્વરૂપમાં દર્શાવે છે.
આજના જમાના પણ જ્યારે સ્ત્રીઓ એકથી વધુ ક્ષેત્રોમાં પોતાની જવાબદારીઓ નિભાવતી હોય છે, ત્યારે ભગવાન શિવે જણાવેલ શક્તિનાં સ્વરૂપ અને કાર્ય પ્રમાણે આજની નારીઓને "નારાયણી' જ કહેવું વધુ યોગ્ય રહે છે. માટે ઘરમાં રહેલી નારીઓ, પછી તે દિકરી, માતા, બહેન, બા કે કોઈ પણ સ્વરૂપમાં હોય, તેમનું કદી પણ અપમાન ન કરવું જોઈએ. તેમનો મહિમા સ્વયં દેવો પણ જાણે છે, આથી, તેમની સાથે ખૂબ સૌજન્યતાથી વર્તવું જોઈએ.