આજે આપને જેના વિશે વાત કરવા જઈ રહ્યા છે તે કદાચ જગતની સૌપ્રથમ જુડવા સંતતી હશે. એ છે અશ્વિનીકુમાર. આ અશ્વિનીકુમારા કોણ છે અને કઈ રીતે જગતના પ્રથમ જુડવા કહેવાય છે ત્યારે જાણો તેના વિશેઃ
ભગવાન સૂર્ય લગ્ન સંજ્ઞાનામની કન્યા સાથે થયા. આ કન્યા સૂર્યનું તેજ સહન કરી શકતી નહીં. તેના માટે ઉપાય શોધવા લાગી, ત્યારે તેને સૂર્યનું તેજ સહન કરી શકાય તે માટે તેનને તપનો માર્ગ સૂઝ્યો.
આખરે સંજ્ઞાને રસ્તો જડ્યો અને તેણે તેના છાયા રૂપનું નિર્માણ કર્યું, આ છાયા રૂપ સૂર્ય પાસે રહેતું અને સંજ્ઞા અશ્વા(ઘોડી)નું રૂપ લઈ તે પોતે ઉત્તરકુરુક્ષેત્રમાં તપ કરવા લાગી.
સૂર્ય ભગવાને એ જાણ્યું કે મારી પાસે રહે છે તે તો સંજ્ઞા નથી તે તો સંજ્ઞાનું છાયા સ્વરૂપ છે ત્યારે સાચીવાત જાણી અને આદ્ર થતા સૂર્ય અશ્વનું રૂપ લઈ સંજ્ઞા પાસે ગયા. આ પ્રકારે સંજ્ઞાથી જે જુડવા સંતાન ઉત્પન્ન થઈ. તેમાં એકનું નામ દસ્ત્ર અને બીજાનું નામ નાસત્ય હતું. પણ માતા એ તે બન્નેનું નામ એકજ રાખ્યું જે અશ્વિનીકુમાર તરીકે પ્રસિદ્ધ થયા.
આ રીતે જગતમાં પ્રથમ જુડવા સંતાન અશ્વિનીકુમારના રૂપમાં થઈ તેમ માનવામાં આવે છે. જે પાછળથી તે દેવોના મહાન ચિકિત્સકો બને છે અને દેવો તથા ઋષિઓનો સત્કાર પ્રાપ્ત કરે છે.