માણસને જીવવા માટે ખોરાક જોઇએ ને ખોરાક માટે તે માણસ હજારો માઇલ પણ દુર જઇને પોતાનો તેમજ તેના પરિવાર માટે પણ જીવન ચલાવવા ખોરાકની શોધમાં ઘરેથી નીકળી પડે છે પણ જયારે કદાચ કોઇ ગરીબ માણસ કે જેની પાસે કોઇ રોજીનું સાધન નથી ને ભીખ માગ્યા સિવાય તેનું કોઇ કામ બીજુ નથી તે જમવાના સમયે શું કરશે! કદાચ લોકો પાસે બે હાથ જોડીને વિનંતી કરશે કે માય બાપ મને રુપીયો બે રુપીયા આપો જરા ભુખ લાગી છે..
પણ કદાચ તેના નસીબમાં હશે તો મળેલ રકમમાંથી પોતાના જમવાની સગવડ તે કરી દેશે પરંતું જો કોઇ દિ ભીખ ના મળી તો તે ખોરાકની શોધ માટે આમતેમ ભટકતો પણ નજરે પડશે..કદાચ કોઇએ ટ્રેનની બારીમાંથી જરાક ખાઇને ચીજ નીચે ફેંકેલી દેખાય તો તે જટ હાથમાં ઉપાડી લેશે ને પછી કોઇ તેને જુએ કે ના જુએ પણ તેને તેનો કોઇ જ ફરક નથી પડતો પણ તે ફેંકેલી ચીજ ખાઇને પોતે પોતાના પેટનો ખાડો જરુર પૂરશે.
કદાચ કુદરતે આમ જ તેના નસીબમાં લખેલું હશે!
કહેવત છે ને કે ભગવાન દરેકને ભુખ્યા જરુર ઉઠાડેછે પણ કદી ભુખ્યા સુવાડતો તો નથી જ.