જ્યોતિષના આ સંકેતો દર્શાવે છે તમારા ભાગ્યમાં સુખ છે કે નહી, જાણો શું કહે છે તમારી કુંડળી
જન્મતાની સાથે જ તમારી કિસ્મત અને તમારૂ ભાગ્ય લખાવવાનું શરૂ થઈ જાય છે કુંડળીના માધ્યમથી સચોટ રીતે જાણી શકાય છે કે તમારૂ જીવન કેવુ જશે. દરેકના જીવનમાં કુંડળીમાં રહેલા 9 ગ્રહો અલગ અલગ ભાવમાં રહેલા હોય છે અને એ મુજબ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સુખ અને સંપત્તિ માટે કુંડળીમાં ચંદ્રમા અને શુક્રની સ્થિતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જો કુંડળીમાં હોય આવું તો…
જે જાતકની કુંડળીમાં ચંદ્રમા અને લગ્નનો સ્વામી હોય તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમાં મજબુત સ્થિતિમાં હોય છે તેમની તબિયત સારી રહે છે અને મોટા ભાગે આ જાતક બીમાર રહેતા નથી. જો કોઈ કુંડળીમાં ચંદ્રમાં કમજોર હોય તો પણ બ્રહસ્પતિ સારી સ્થિતિમાં હોય તો તબિયત સારી રહે છે. કુંડળીમાં રાહુ અને શનિ અશુભ ભાવમાં હોય તો વ્યક્તિની તબિયત પર તેની ખરાબ અસર થાય છે.
આ જાતકોને સારી નોકરી મળે
જ્યારે કોઈ કુંડળીમાં શનિ અને બ્રહસ્પતિ સારા હોય તો સારી નોકરીના યોગ ઉત્પન્ન થાય છે. કુંડળીમાં શનિ ખરાબ હોય તો નોકરી મળવામાં બાધા આવે છે. બ્રહસ્પતિ નબળો હોય તો વેપાર રોજગારના ક્ષેત્રે ખુબજ મોટુ નુકસાન વેઠવું પડે છે.
વૈવાહિક જીવનમાં સુખ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિલાઓના વૈવાહિક સુખ માટે બ્રહસ્પતિ ગ્રહ જવાબદાર છે જ્યારે પુરૂષોના વૈવાહિક સુખ માટે ચંદ્રમા અને શુક્ર જવાબદાર માનવામાં આવે