તમે પણ વારંવાર કરી રહ્યા છો આવી ભૂલ તો માતા લક્ષ્મી થશે નારાજ, થઈ જશો કંગાળ
આપણે સૌ સારી રીતે પૈસાની જરૂરિયાત સમજીએ છીએ. જીવન નિર્વાણ શક્ય જ નથી જો હાથમાં ઠન ઠન ગોપાલ ન હોય તો મતલબ કે જો તમારા હાથમાં પૈસા હશે ધન હશે તો તમને સમાજમાં સ્થાન પણ એવું જ પ્રાપ્ત થશે. લક્ષ્મીજીની જેના પર કૃપા હોય તેનું જીવન સુખ શાંતિથી પસાર થઈ જાય છે તે ખુબજ સત્ય વાત છે. કહેવાય છે ને કે નાણાં વગરનો નાથીઓને નાણે નાથા લાલ એટલેકે જો તમારી પાસે સંપત્તિ હશે તો તમે પણ સંસારસુખ અને ભૌતિક સુવિધાઓની સાથે ખુબજ સરળતાથી જીવન નિર્વાહ કરી શકશો.
જો કે આપણા શાસ્ત્ર અનુસાર કેટલાક નીતિ નિયમો વર્ણવવામાં આવ્યા છે જે માણસ કેટલીક નાની ભૂલો કરી બેસે છે તેનાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરો છો તો સંભાળી લેજો કેમકે આવી ભૂલથી થઈ જશો કંગાળ. કહેવાય છે કે જે ઘરમાં સરખી ચોખ્ખાઈ રાખવામાં નથી આવતી સાફ સફાઈ જળવાતી નથી માતા લક્ષ્મી ત્યાં ક્યારેય નિવાસ નથી કરતી. આથી ઘરને હંમેશા સ્વચ્છ રાખવુ જોઈએ.
જે ઘરમાં સતત ખટરાગ થયા કરતો હોય પતિ-પત્ની એક બીજાનું અપમાન કર્યા કરતા હોય ત્યાં માતા લક્ષ્મી નથી ટકતા. અને આવા ઘરને છોડીને માતા લક્ષ્મી દૂર ચાલ્યા જાય છે. કેટલાક લોકોની આદત હોય છે કે તે દરેક નાની મોટી વાતોમાં ખોટુ બોલ્યા જ કરે છે. આવા લોકોથી પણ લક્ષ્મીજી નારાજ રહે છે.
આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં મહેમાન ભગવાન સમાન હોય છે. જે ઘરોમાં મહેમાનનું સ્વાગત સરખી રીતે કરવામાં નથી આવતુ આ ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકતી જ નથી.
જે ઘરમાં ભોજનને પડતું મુકવામાં આવે છે ત્યાં લક્ષ્મી દેવીની સાથે સાથે અન્નપૂર્ણા દેવી પણ નારાજ થાય છે. અનાજનું અપમાન માતા લક્ષ્મીનું અપમાન પણ કરે છે.જે ઘરમાં માતા પિતાનું અપમાન થાય છે ઘરના વડિલોનો અનાદર થાય છે માતા લક્ષ્મી તાત્કાલીક આ જગ્યા છોડીને ચાલ્યા જાય છે. આ ઘરમાં સમસ્યા કાયમી રહી જાય છે.