રાત્રે સુતી વખતે ઓશિકા નીચે રાખો આ વસ્તુઓ, પૈસાનો થશે વરસાદ
ખુબજ મહેનત અને પરિશ્રમ કર્યા પછી પણ જો વારંવાર નિષ્ફળતા મળ્યા જ કરે તો નિરાશા વ્યાપી જાય તે સ્વાભાવિક છે. પણ નિરાશાને આપણા પર હાવી ન થવા દેવી જોઈએ. અને સફળ થવા માટે ફરી ફરીને પ્રયાસો કરવા જોઈએ. કેટલીક વાર આપણે ત્યાં વાસ્તુદોષ પણ રહેલો હોય છે. નાની નાની વાતોમાં થોડું ધ્યાન આપીએ તો સફળતા મળેજ તેમાં કોઈ શંકા જ નથી.
વાસ્તુશાસ્ત્રનો સહારો લઈને તમે તમારી મુશ્કેલીઓને નિવારી શકો છો. કેટલીક ટિપ્સને તમે ફોલો કરશો તો જરૂરથી તમને ફાયદો થશે. જો તમે સુખ શાંતિ મેળવવા ઇચ્છો છો તો તમારે રાત્રે સુતી વખતે ઓશિકા નીચે આ વસ્તુઓ રાખવી જોઈએ પછી જુઓ તમને ખુબજ સારૂ પરિણામ પ્રાપ્ત થશે.
વાસ્તુશાસ્ત્રનો સહારો લઈને તમે તમારી મુશ્કેલીઓને નિવારી શકો છો. કેટલીક ટિપ્સને તમે ફોલો કરશો તો જરૂરથી તમને ફાયદો થશે. જો તમે સુખ શાંતિ મેળવવા ઇચ્છો છો તો તમારે રાત્રે સુતી વખતે ઓશિકા નીચે આ વસ્તુઓ રાખવી જોઈએ પછી જુઓ તમને ખુબજ સારૂ પરિણામ પ્રાપ્ત થશે.
ગીતા અથવા સુંદરકાંડ
ભગવત ગીતા અને સુંદરકાંડ એવા ગ્રંથ છે જેનું આચરણ કરવામાં આવે તો જીવનમાં ક્યારેય કોઈ દુખ રહેતા નથી. કહેવાય છે કે રાત્રે સુતી વખતે જો સુંદરકાંડ કે ભગવત ગીતાને ઓશિકા નીચે રાખીને સુવામાં આવે તો મન શાંત પડી જાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આખો દિવસ તમે તાજગી અને સ્ફુર્તી અનુભવશો જેની સીધી અસર તમારા કામ પર પણ પડશે. કાર્યક્ષેત્રમાં તમારૂં પ્રદર્શન સારૂ થશે અને તમારી પ્રગત્તિ થશે. આનાથી ગુરૂ ગ્રહ પણ મજબુત થશે.
આ પણ અજમાવી જુઓ
મંગળવારની રાત્રીએ મગની દાળને સફેદ વસ્ત્રમાં બાંધીને પોટલીને તકીયા નીચે રાખો. સવારે ઉઠીને મગ દાળ કોઈ કન્યાને દાનમાં આપી દો. જો કોઈ કન્યા ન મળે તો દુર્ગા માતાના મંદિરમાં ધરાવી દો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ગમે તેવું સુતેલુ ભાગ્ય હશે જાગી જશે. આવકમાં વૃદ્ધિ થશે.
માથા પાસે સુતા પહેલા કોઈ ત્રાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરીને રાખો. સવારે ઉઠો ત્યારે આ જળથી મોં સાફ કરો આ ઉપાય કરવાથી સૂર્ય મજબુત થશે. નોકરીમાં સારી તકો સાંપડશે. પૈતૃક સંપત્તિમાં લાભ મળશે.