ગણેશજીની મૂર્તિઓ આપે છે અલગ પરિણામ, જાણો કઈ પ્રતિમા પૂર્ણ કરશે તમારી મનોકામના
ગણેશજીનો ઉત્સવ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુક્યો છે. આ ઉત્સવને સમગ્ર દેશમાં ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશોત્સવ 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવશે. ગણેશ પૂજન માટે ભક્તો પોતાના ઘરમાં રંગબેરંગી પ્રતિમાઓની સ્થાપના કરી ચુક્યા છે. પણ શું તમે જાણો છો દરેક મૂર્તિઓનો રંગ આપે છે અલગ અલગ પરિણામ.
તમારી જે પણ ઇચ્છા હોય તે અનુસાર જો તમે તમારા ઘરમાં આવી મૂર્તિઓ લગાવશો તો તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ થશે. આથી ઘરમાં જો દૂંદાળા દેવને પધરાવવાજ હોય તો તમે આ ખાસ વાતને યાદ રાખજો.
પીળા કે લાલ રંગની મૂર્તિ
આ રંગની મૂર્તિઓને સૌથી શુભ માનવામાં આવે છે, કહેવાય છે કે આવી મૂર્તિના દર્શન માત્રથી જીવનની તમામ તકલીફો દૂર થાય છે.
નીલા રંગની મૂર્તિ
આ રંગની મૂર્તિઓને ગણેશજીની ઉચ્છિષ્ટ ગણપતિ મૂર્તિ કહેવામાં આવે છે. આવી મૂર્તિ શનિના પ્રકોપથી બચાવે છે.
હળદરના લેપ વાળી મૂર્તિ
આને હરિદ્રા ગણપતિ કહેવામાં આવે છે. પોતાની વિશેષ મનોકામનાની પૂર્તિ માટે આને શુભ માનવામાં આવે છે.
એકદંત ગણપતિ
આ રીતના ગણપતિની પૂજાથી અદ્ભૂત પરાક્રમની પ્રાપ્તિ થાય છે.
સફેદ રંગના ગણપતિ
આ રીતની મૂર્તિની પૂજા કરવાથી દામ્પત્યજીવન સુખમય જાય છે. પતિ પત્ની વચ્ચે જો તકરાર હોય તો દૂર થાય છે.
ચાર ભુજાઓ વાળા ગણપતિ
આ ગણેશજીની ઉપાસના કરવાથી તમામ સંકટોનો નાશ થા્ય છે
દસ ભુજાઓ વાળા ગણપતિ
આ રીતના ગણપતિ ‘મહાગણપતિ’ કહેવાય છે. માનવામાં આવે છે કે આમની અંદર સમસ્ત ગણપતિઓનો સમાવેશ થાય છે.
મૂર્તિ કોઈ પણ હોય તેમાં વસતા ભગવાનને જો ખરા હૃદય પૂર્વક પૂજવામાં આવે તો બાપ્પા જરૂરથી પૂરી કરે છે તમામ મનોકામના, તો તમે પણ આ વખતે ખરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનની કરી લો પૂજા અર્ચના ગણેશજી દૂર કરશે તમામ સંકટ.