ફેંગશુઈના ઉપાય જીવનને કરી દેશે ખુશખુશાલ, તેની સાથે જોડાયેલી આ વસ્તુઓ જરૂર રાખો
વાસ્તુશાસ્ત્રની જેમ જ હાલ ઘરમાં ચીની વાસ્તુશાસ્ત્ર પણ ખુબજ ચલણમાં આવી રહ્યું છે લોકોનો વિશ્વાસ ધીરે ધીરે વધી રહ્યો છે અને પ્રવાહ હવે વાસ્તુશાસ્ત્ર અને ચીની વાસ્તુશાસ્ત્ર તરફ વધારે ફંટાયુ છે. ફેંગશુઈ બે શબ્દોથી મળીને બન્યુ છે. ફેંગ એટલે કે વાયુ અને શુઈ એટલે જળ. ફેંગશુઈ શાસ્ત્ર જળ તેમજ વાયુ પર આધારિત છે. ફેંગશુઈના ઉપાય કરવાથી ઘરમાં રહેલા તમામ પ્રકારનાં વાસ્તુદોષ નિવારી શકાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ માટે હવે તો માર્કેટમાં અલગ અલગ ફેંગશુઈની વસ્તુઓ મળે છે.
જેને ઘરમાં લગાવીને તમે શુભ ફળ પ્રાપ્ત કરી શકશો.
ચીની વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાને પ્રગત્તિનું પ્રતિક માનવામાં આવે છે જે રીતે વેગવંતો ઘોડો થનગનાટ કરે છે તમારી કિસ્મત પણ એજ રીતે ચમકી જાય છે જે રીતે ઘોડામાં જુસ્સો અને જોમ હોય છે તમારામાં શક્તિઓનો સંચાર ભરી દે છે. નોકરી અને વેપાર માટે પ્રગત્તિ ઇચ્છતા હો તો તમે ઘોડાની મૂર્તિ કે પોસ્ટરને ઘરમાં લગાવી દો.
જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો ફેંગશુઈ શાસ્ત્ર જરૂરથી તમારી મદદ કરશે. તમે તમારા ઘરમાં લાફિંગ બુદ્ધાને રાખીને જીવનમાં સમૃદ્ધિ અને પરેશાની દૂર કરી શકો છો.ફેંગશુઈમાં વાસ્તુદોષને દૂર કરવા ધાતુનો કાચબો રાખી શકો છો કહેવાય છે કે જે ઘરમાં આવો ધાતુનો કાચબો હોય ત્યાં બીમારીઓ દૂર રહે છે અને માનસિક શાંતી રહે છે. તમે ઘરમાં ઉત્તર દિશામાં પાણી ભરેલા જારમાં રાખો તેનાથી ફાયદો થશે.
ફેંગશુઈમાં લાલ દોરામાં લટકતી ઘંટડીઓનું પણ ખુબજ મહત્વ રહેલું છે. ઘરમાં ખુશખુશાલ વાતાવરણને કરવા માટે બસ તમે તમારા ઘરની બારીમાં લટકાવી રાખી શકો છો. આનાથી જે ધ્વનિ ઉત્પન્ન થશે તેનાથી વાતાવરણમાં રહેલી એનર્જી ખુબજ પોઝિટીવ થશે. સકારાત્મક વાતાવરણ ઘરને ખુશાલીઓથી ભરી દેશે.
ફેંગશુઈમાં ઘરમાં બાંબુ લગાવવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. વાંસનો છોડ સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. વાંસનો છોડ એવી જગ્યાએ રાખો જ્યાં પરિવારના તમામ સભ્ય બેસતા હોય વાંસના છોડને પૂર્વ દિશામાં રાખવાથી ફાયદો થશે.