જો તમારા ઘરમાં પણ છવાયેલ હોય નકારાત્મક ઉર્જા તો આ રીતે કરો તેને દૂર
આપણી કઈ આદતથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે?
ખરાબ-ગંદાં ચપ્પલ પહેરીને સીધા ઘરમાં આવવાની આદત. જો ચપ્પલ બગડયાં હોય તો તેને કોઇ દિવસ ઘરમાં પહેરીને ન લાવવાં.
ઘરમાં મેલાં કપડાં ભેગાં કરીને રાખવાં. ઘણાં લોકોને મેલાં કપડાં ભેગાં કરીને કોઇ એક દિવસે ધોવાની આદત હોય છે. આ ખરેખર ખોટી આદત છે.
ઘરના બાથરૂમને ગંદું રાખવાથી. ઘરના બાથરૂમને રોજેરોજ ચોખ્ખું કરવું અને રાખવું જરૂરી છે.
ઘરમાં પૂજા ન કરવી. ઘણાં લોકોના ઘરમાં મંદિર હોય છે પણ તેઓ તેમાં દીવો ભાગ્યે જ પ્રગટાવતાં હોય છે, પૂજા પણ ભાગ્યે જ કરતાં હોય છે. આવું ન કરવું જોઇએ. ભલે તમારી પાસે સમય ન હોય તો માત્ર દીવો કે અગરબત્તી કરો, પૂજા રોજ ન કરો, પણ દીવો તો ચોક્કસ પ્રગટાવવો જ જોઇએ.
ભોજન બનાવવાની આ છે ખોટી આદત
ઘણાં લોકોને ભોજન બનાવવાની અથવા તો ભોજન આરોગવાની પણ કેટલીક ખોટી આદત હોય છે. આ ખોટી આદતને કારણે પણ ઘરમાં નકારાત્મકતા આવતી હોય છે. કઈ કઈ આદતના કારણે નકારાત્મકતા તમારા ઘરમાં પ્રવેશે છે તેની પર એક નજર કરીએ.
ઘરમાં ફરીફરીને ખાવાથી.
ઘરમાં એંઠાં વાસણ આમતેમ મૂકવાથી
ભોજનનો બગાડ કરવાથી. અલબત્ત, ઘણીવાર બહુ મહેમાન હોય તો આપણે ઘટે નહીં તે માટે વધારે બનાવતાં હોઇએ છીએ, એમાં કોઈ વાંધો નથી પણ આ વધેલું અનાજ આપણે પ્રાણીઓને ખવડાવવાને બદલે કોથળીમાં પેક કરીને ડસ્ટબિનમાં નાખી દેતાં હોઇએ છીએ. આમ ન કરવું જોઇએ. ઘરમાં વધેલું અનાજ હંમેશાં જરૂરિયાતવાળા લોકોને અથવા પ્રાણીઓને ખવડાવી દેવું.
વ્યવહારની અમુક ખોટી આદત
કારણ વગર ઘરમાં રહેતાં કોઇપણ સદસ્ય ઉપર બૂમો પાડવાની આદત.
ઘરના વડીલો સાથે ખરાબ વ્યવહાર કરવાથી.
ઘરની મહિલાઓને સન્માન ન આપવાથી.
ઘરમાં કયાં કયાં કામ કરવાથી જીવનમાં શુભ અસર ફેલાય છે
આપણાં ઘરમાં આપણે ગમે તેટલા વ્યસ્ત હોઇએ તો પણ કમ સે કમ એક સમયે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી થોડીવાર ભગવાનનું ધ્યાન ધરવું. આ ખૂબ જ જરૂરી છે, કેમ કે ઘણાં એવા લોકો છે જેમના ઘરે મંદિર માત્ર શોભાનું જ હોય. તેઓ પૂજા ન કરતાં હોય કે તે તરફ જોતાં પણ ન હોય. આમ કરવાથી તકલીફ આવી શકે છે, માટે આમ ન કરવું અને કમ સે કમ એકવાર તો ઘરમાં દીવો પ્રગટાવવો.
ઘરની સફાઇ ચોક્કસ રાખો.
પાણીની બરબાદી બિલકુલ ન કરવી. આ કુટેવ સ્ત્રીઓમાં ખાસ જોવા મળે છે. ન જરૂર હોય ત્યારે પણ સ્ત્રીઓ પાણીનો વેડફાટ કરતાં ખચકાતી નથી. જો સુખી થવું હોય તો કોઈ દિવસ કારણ વગર પાણીનો વ્યય ન કરવો.
શનિવારે ઘરના મુખ્ય દ્વારના ઉંબરે સરસિયાવાળો દીવો કરવો.
ઘરમાં એક સફેદ ગાય કે સફેદ હાથીની મૂર્તિ અચૂક રાખવી.
આટલા ઉપાય અજમાવવાથી ઘરમાં નકારાત્મકતા ક્યારેય નહીં આવે અને તમારું કાર્ય તમને પ્રગતિના માર્ગ સુધી લઈ જશે.