જે મહિલાઓની હથેળી પર હોય આવા નિશાન, લક્ષ્મી ક્યારેય ન છોડે તેમનો સાથ
જ્યોતિષમાં હસ્તરેખા એક એવી વિદ્યા છે જેનાથી વ્યક્તિનું ભાવી જાણી શકાય છે. આમ તો કહેવત છે કે પુરૂષાર્થ આગળ પ્રારબ્ધ વામણુ છે. એટલેકે અથાગ મહેનત કરો તો જરૂરથી સફળ થવાય છે પણ ઘણી વખત જો કિસ્મતનો સાથ મળી જાય તો સમજી લોકે સોનામાં સુગંધ ભળે છે. આવીજ કિસ્મતનો સાથ અને મહેનતનું પરિણામ એટલે સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ.
આપણા સામુદ્રિક શાસ્ત્રમાં તો હસ્તરેખા અને તેના પરનાં અલગ અલગ નિશાન પરથી ભૂતકાળ કેવો ગયો ભવિષ્ય કેવું આવશે તેનો સચોટ ચીતાર મેળવી શકીએ છીએ. અલગ અળગ વ્યક્તિઓની હથેળી પર અલગ અલગ નિશાન જોઈ શકાય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર હથેળી પર કેટલાક એવા નિશાન હોય છે જે જાતકને ધનવાન, ભાગ્યશાળી, સુખ ભોગવનાર બનાવી જાય છે. આજે આપણે મહિલાઓની હથેળીમાં રચાતા પાંચ શુભ નિશાનો અંગે વિસ્તૃત જાણકારી મેળવીશું.
કમળનું નિશાન
કોઈ પણ સ્ત્રી આમતો બે ઘરને તારનાર હોય છે. ઘરમાં જો મહિલા સુખી તો સમૃદ્ધિતો આમ જ આવીને વસે છે. કેટલીક મહિલાઓ જન્મતાની સાથે જ નસીબ લઈને આવે છે. જો કોઈ મહિલાની જમણી હથેળી પર કમળનું નિશાન હોય તો આવી સ્ત્રીઓના જીવનમાં ખુબજ ઐશ્વર્ય અને સંપત્તિની માલિક હોય છે. આવી મહિલાઓને ક્યારેય ગરીબી જોવાનો સમય જ નથી આવતો.
માછલીનું નિશાન
હસ્તરેખા શાસ્ત્રમાં માછલીના નિશાનને ખુબજ શુભ માનવામાં આવે છે. જે મહિલાઓના હાથ પર આ નિશાન હોય તેમનું વૈવાહિક જીવન હંમેશા સુખમય હોય છે. આવી મહિલાઓ સાસરીમાં ખુબજ પ્રેમ પામે છે.
રથનું નિશાન
જે સ્ત્રીની હથેળી પર રથનું નિશાન હોય તેનું જીવન રાણી જેવું વિતે છે. અપાર સુખ અને સત્તા મળે છે જ્યાં પણ જાય તેનું વર્ચસ્વ રહેલુ હોય છે.