Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીદગી પણ કેવા ખેલ રમેછે!!!
જયારે કોઇનુ મુત્યુ થાય ત્યારે આડોશપાડોશના સૈ સંબંધી સગાવહાલા તેને ઘેર પહોચી જાય..ને પુછે કે ભાઇ તો કાલ સુધી સાજાસમા હતા તો એક રાતમાં તેમને એવુ તે શુ થઇ ગયુ કે તે આમ જ ચાલ્યા ગયા!
આમ જાત જાતના સવાલો ઘરમાં દાખલ થયા પછી કરતા હોયછે..સ્વાભાવિક છે કે દરેકને કંઇક આવુ અજુગતુ કુતુહલ થાય કે જે તેની જીદગીમાં પણ કયારેય બિમાર નથી પડયુ કે કયારેય તેને શરદી કે ઉદરસ જેવી નાની બિમારીઓ પણ નથી આવી તો તે એક જ રાતમાં એવી તે શી ઘટના બની હશે કે સવારના પહોરમાં જ ઘરે કોઇ માણસ કહેવા આવેછે કે ફલાણા ફલાણા ભાઇ રાતે આ સમયે ગુજરી ગયાછે તો તેમની સ્મશાન કિર્યા સવારે આઠ વાગે કરવાની છે તો તમે આવીને હાજરી આપશો...બસ આવી જ કંઇક ઘટના બનતી હોયછે કે જયારે રાતના સમયે કોઇની આંખ સદાને માટે બંધ થઇ જતી હોયછે..આમ પછી આખી રાત રડારડ ચાલતુ હોયછે..પછી કોઇ ઘરના પ્રમુખ કે વડીલ તેમના ફોનથી દુર રહેતા સગા વ્હાલાને પણ તેની જાણ કરી દેતા હોયછે...
બસ આમજ એક ઘટના બનવા પામીછે કે એક જગયાએ કોઇ વ્યકતિ અચાનક રાતે મરણ પામી તેથી તે ઘરના કોઇ ભાઇએ તેમના સગાવહાલાને ફોન કરીને જાણ કરી દિધી કે ઘરે આમ થવા પામ્યુછે તો તમને સવારે આવવા નીકળી જશે..બસ આ જાણીને તેમના કોઇ એક સંબંધી સવારની વહેલી પરોઢે પોતાની ગાડી લઇને નીકળી પડયા..ગાડીમાં બે ચાર બૈરાં ને એક બે ભાઇ હતા..ગાડી તેની નોર્મલ ગતિએ ચાલી રહી હતી..દરેકના મન ઉદાસ હતા સૈ કોઇ પોતપોતાની રીતે અલગ અલગ વિચારતા હતા..કે એવુ તે શુ થઇ ગયુ કે આમ તેઓ નાની ઉમરે જ ચાલયા ગયા! બિચારા છોકરાં હજી કેટલા નાના છે!..ઘરની બધી જ જવાબદારી તેમની પત્નિ ઉપર આવી પડી! કમાણી કરનાર વ્યકતિ હવે ઘરમાં રહી નહિ!
બસ આવી રીતે દુરથી આવતા મરનારના સગાઓમાં ગાડીની સફરે આવી દુખભરી વાતો એકબીજા સાથે ચાલતી હોયછે..પણ કયારેક વિધાતાએ કંઇક અલગ જ કોઇના માટે કયારેક લખ્યુ હોયછે..જેઓ કોઇ બીજાના મરણ પ્રસંગમાં જતા હોયછે તે કયારેય તેમનો જ મરણપ્રસંગ બની જતો હોયછે..ગાડી ધીમે ધીમે પોતાની મંઝીલ કાપતી હતી..બસ થોડીક જ મિનીટોમાં સામેથી આવતી એક ભયાનક ને મોતનો સામાન સમી ટ્રકે આ મરણપ્રસંગે જતી નાની કારને એક જોરદાર ટકકર મારીને ગણતરીની મિનીટોમાં ચાર જણને મોત તરફ સુવડાવી દિધા..કેવી અજીબ સમય ને સંજોગ કહેવાય! જેઓ કોઇ બીજાના જ મરણ પ્રસંગે જતા હતા તેમનો જ મરણ દિવસ થઇ ગયો...આવો પણ એક ખેલ કુદરતનો હોયછે..ને હવે તેમના પ્રસંગે તેમના જ કોઇ સગાવ્હાલા તેમના ઘરે આવીને ઉભા રહેશે..જીદગીનો કોઇ ભરોસો હોતો નથી..કયારેય બડાઇ ના મારવી કે હુ ખુબ જીવવાનો છુ! આપણા જીવનની દોરી ઉપરવાળાના હાથમાં હોયછે તે કયારે આપણો ગાળીયો બનાવીને ખેંચશે તે કોઇ નથી જાણતું!
આપણુ મોત કેવુ સ્વરુપ લઇને આવશે તે તો આપણો અંતિમ સમય જ બતાવશે..આપણને નહી પણ આપણા સગાઓને તેની જાણ થશે કારણકે આપણે તે જોવા કે કંઇક સમજવા રહેવાના પણ નથી...

Gujarati Thought by Harshad Patel Pij : 111242374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now