Gujarati Quote in Motivational by Rana Zarana N

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીતળા સાતમે શા માટે ઠંડુ ખાવું જોઈએ ?

શીતળ એટલે ઠંડક આપનાર . ચામડી ના દરેક રોગમાં ઠંડક ની જરૂર પડે છે .માટે જ આપણે શીતળા માતા ને ચામડી ના રોગો સાથે સાંકળી ને જોતા હોઈશું .શીતળામાતા નો ઉલ્લેખ સ્કંદ પુરાણ માં જોવા મળેછે . આપણા બીજા તહેવારો ની જેમ આ તહેવાર ની પાછળ પણ સ્વસ્થ રહેવાનું વિજ્ઞાન છે .
ઘણા health concious લોકો resistance starch વિશે જાણતા હશે જેને ગુજરાતી માં પ્રતિરોધક સ્ટાર્ચ કહીશું. આ એવા કાર્બોદિત પદાર્થો છે કે જે સ્ટાર્ચ ની લાંબી સાંકલ બનાવે છે.આપણે દરેક સ્ટાર્ચ પચાવી ન શકતા હોવાથી આવા સ્ટાર્ચ આપણા મોટા આંતરડા માંથી પસાર થાય છે.ત્યાં રહેલા good bacteria આવા પદાર્થોનું પાચન કરે છે અને તેમની સંખ્યા માં વધારો થાય છે . જે પાચન માટે લાંબા ગાળે સારુ છે .
આપણે જાણીએ છીએ તેમ ત્વચા રોગો નું મૂળ પાચન છે . જો તમારું પેટ સારું હશે તો ત્વચા રોગ થવાની શક્યતા ઘટી જશે . મારા માનવા પ્રમાણે આથી જ શીતળા માતાને ત્વચા રોગ સાથે સાંકળવામાં આવ્યા હશે .
આમ તો resistance starch ના પ્રાપ્તિસ્થાનો
રાંધી ને મૂકી રાખેલાં સફેદ ભાત, બટાટા , લીલા કેળા , જવ , કાબુલી ચણા વગેરે છે પરંતુ શીતળા સાતમ માં ખવાતા પદાર્થો જેવા કે દાળવડા ,થેપલા ,પુરી વગેરે પણ આના પ્રાપ્તિસ્થાનો હોઈ શકે.
આ તમામ પદાર્થો નું ક્લિનિકલ રિસર્ચ કરીને તેની પાછળ નું વૈજ્ઞાનિક કારણ શોધવું જ રહ્યું .

તા .ક . આ લેખ મારી માન્યતા પર આધારિત છે .તેનો કોઈ વૈજ્ઞાનિક કે મેડિકલ આધાર નથી .

Gujarati Motivational by Rana Zarana N : 111240147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now