Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા જમાનાની વાતો જ કંઇક અલગ જ હતી..
તે સમય એવો હતો કે સગા પાંચ ભાઇઓને બહારનું કંઇ કામ હોય તો એક સાથે જ ઘરેથી નીકળતા...એક સાથે જ જમવા બેસતા ને એક સાથે જ ઓટલે બેસતા..
તે જમાનામાં એક અટુટ સંપ રહેતો હતો..ભાઇઓમાં તો ઠીક સગી બહેનોમાં પણ એવો જ સંપ હતો..ઘરમાં બધા સાથે રહે પણ કકળાટનું નામોનિશાન હતુ નહી..પચ્ચીસ માણસોનું કુટુમ્બ પણ જણાય નહી કે આટલા લોકો એક સાથે કેમના રહેછે..
તે સમયે સંપ..પ્રેમ..લાગણી..અટુટ હતી
ને આજે સાથે એક ભાઇ રહેતો હોય તો પણ તેઓ શાન્તિથી રહી શકતા નથી...કયારે તેઓ જુદા થાય કે કયારે તે આ ઘરમાંથી નીકળીને જુદા થાય તેની રાહ આજ જોતા હોયછે...
આજે આખી દુનિયા બસ પૈસા પાછળ પાગલ છે..
આજે પ્રેમ નથી પણ વેરઝેર બદલો લેવાની ભાવના દરેકના દિલમાં હોયછે...
પૈસો..જમીન..મિલ્કત..ને જોરુ..આ ચારેય ચીજો પાછળ લોકો આજ દિવાના હોયછે..કેમ કરીને મારુ થાય! બસ એ જ વિચારો લોકોના દિલદિમાગમાં ચાલ્યા કરેછે.
આજ પૈસા માટે ભાઇ ભાઇને તળછો દેછે..સગા માતાપિતાને ઘરમાથી બહાર કાઢેછે..
આજ માણસ કેટલો બદલાઇ ગયો છે..! કે વધુ ને વધુ મોર્ડન થતો જાયછે!..ભણેછે પણ ભણેલાનું જ્ઞાન ઉપયોગમાં સલમયે લેતો નથી..ઉલ્ટાનું અભણ માણસ જેવું કામ કયારેક તે કરી લેતો હોય છે...
આજે પોતાના પરિવારમાં કોઇ જીવે કે મરે તેની ચિંતા તેને હોતી નથી..કારણકે આજે પ્રેમ લાગણી જેવા શબ્દો માત્ર શબ્દો જ રહી ગયા છે..આજે યાદ રહે ને કાલે તે બધુ જ ભુલી જતો હોયછે..બસ યાદ આવેછે માત્ર તેનો પોતાનો એક નાનો પરિવાર જ. જુના જમાનામાં તો પરિવારનું કોઇ સદશ્ય ગુજરી જાય તો લોકો ઘણા સમય સુધી જમતા ના હતા..કારણકે તેમના એવા સમયે જમવાનું એ ભાવતું ના હતું..ને આજ તો બીજે જ દિવસે તેઓ કોઇ હોટલના એક ખૂણે પાઉભાજી ખાતા નજરે પડેછે..
આજે તો પૈસા માટે કે મિલકત માટે..મારામારી તો ઠીક પણ ખૂન કરતા પણ કોઇ અચકાતાં નથી...પછી તે ભાઇ હોય કે બાપ હોય..સગો છોકરો પણ આજ પોતાની માને કે પોતાના બાપને મારતા અચકાતો નથી.
જેને જન્મ આપ્યો છે તેને જ પોતાનું વેરી બનાવી દેછે..
પહેલા જમાનામાં લોકો માંડ ચાર પાંચ ચોપડી ભણતા હતાં પણ ત્યારે તે લોકોને બીજા પરત્યે પ્રેમભાવ..લાગણી..
એકતા ઘણી જ હતી..ને આજે માણસ બીકોમ કે બીએસસી ભણેલો હોય પણ છતાંય અભણ બરાબર હોયછે.
સમય એજ ચાલ્યા કરેછે પણ માણસ બદલાઇ ગયોછે..તેની રહેણીકરણી બદલાઇ ગઇછે..તેના શોખ વધી ગયા છે...તેને માટે તે કંઈ પણ કરવા આજ તૈયાર થઇ જાયછે...

Gujarati Thought by Harshad Patel Pij : 111208352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now