મા તે મા..તેની આગળ કોઇ જ ના આવે..
મા એક પ્રેમની મુર્તિ..
મા એક કરૂણાની મુર્તિ..
મા એક દેવીની મુર્તિ..
કહેવું હોય તો ઘણુંબધું તેને કહી શકાય..તેને માટે આપણે જેટલા શબ્દો વાપરીએ તેટલા ઓછા પડે..
પેટમાં દુખે તો ઓઇ મા...
પડી જઇએ તો ઓઇ મા..
આપણા મોઢામાંથી પહેલો શબ્દ મા જ કેમ બોલાઇ જાયછે!
પણ હો..ઘણીવાર ઓઇ બાપ પણ બોલાઇ જતો હોયછે..
આની પાછળ એક કારણ મુખ્યત્વે હોયછે..એ છે કે જેને જેના ઉપર જેવો પ્રેમ હોય..કોઇને મા ઉપર વધું પ્રેમ હોય તો કોઇને બાપ ઉપર વધું પ્રેમ હોય..
દરેક માળામાં એકસો આઠ મણકા હોયછે..
આ માળામાં કોઇ નાના મણકા હોયછે તો કોઇ મોટા મણકા પણ હોયછે પરંતુ આપણે દરેક મણકાનો સ્પર્શ કરવો જ પડતો હોયછે..કોઇપણ મણકાને આપણે સ્પર્શ વગર છોડી શકતા નથી..ને જો છોડી દઇએ તો તે માળા આપણે અધુરી કરી કહેવાય..
એવી જ રીતે દરેક જણ પોતાના મોંઢે કયારેક મા બોલતા હોયછે તો કોઇ બાપ બોલતા હોયછે..
પરંતું કયારેક મા શબ્દ વધું બોલાતો હોયછે..
બાપ તો આખો દિવસ ઘરની બહાર હોયછે..જયારે મા તો દરેક સમયે મોં આગળ જ હોયછે..માટે આપણા મોઢામાંથી મા શબ્દ વધારે બોલાયછે..
ચલ બેટા ઉઠ..આઠ વાગી ગયા તારે કોલેજ જવાનું નથી! ચાલ બેટા ખાઇ લે તે ગઇકાલથી જરાય ખાધું નથી! ચાલ બેટા જલદી ઉભી થા ને બાથરૂમમાં જા તારે ઓફિસે જવાનું મોળું થશે..
આ બેટા બેટામાં જ તેનો એટલો બધો પ્રેમ નીતરતો હોયછે..પછી તે સાંભળીને આપણે પણ કાલા કાલા થઇ જઇએ છીએ..
ના મમ્મી હજી મારે ઓફિસ જવાની ઘણીવાર છે મને જરાક વધું સુવા દે પ્લીઝ..
શું આમ આપણે પપ્પા સાથે બોલી શકીએ છીએ!
ના હો..
કારણ કે આપણને તેમનો થોડોક ડર લાગેછે..
તે આપણાં કાલાં જરાય સહન નહી કરે..અરે ઉભી થા..જવાનું નથી..આટલી મોટી થઇ તોય તને અક્કલ હજી આવી નથી!
આમ તેમના બોલવાના વાક્યોમાં ઝાઝો ફરક હોયછે..
એક વાક્યમાં પ્રેમ હોયછે તો બીજા વાક્યમાં જરાક ગુસ્સો હોયછે..
પરંતુ બંન્નેના પ્રેમમાં કોઇ ફરક હોતો નથી..પ્રેમમાં પણ પ્રેમ સમાયેલો હોયછે ને ગુસ્સામાં પણ પ્રેમ જ સમાયેલો હોયછે..આમેય આપણે ગમે તેમ પણ તેમના જ સંતાનો છીએ...
નીચે આપેલ એક ફોટામાં સાફ દેખાય છે કે એક દિકરી પોતાની માને કેટલો પ્રેમ કરેછે! પરંતુ આ તેમનો પ્રેમ વધું સમય રહ્યો નહિ.. કારણકે દિકરી હવે આ દુનિયામાં જ નથી રહી..પોતાની માને એકલી મુકીને દુર દુર તે ચાલી ગઇછે..
તક્ષશીલા બિલ્ડીંગમાં લાગેલી આગમાં તેનો..જીવ ચાલ્યો ગયોછે..આવી તો તેમાં ઘણી દિકરીઓ પોતાની માથી વિખૂટી પડી ગયેલછે..
કાશ આજે બધા જ હયાત હોત તો આવો મા દિકરીનો પ્રેમ કાયમ માટે જીવંત રહેત..
જેવી પ્રભુની મરજી...