Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પક્ષીઓને ચણ નાખવાથી ઘણુ પુણ્ય મળેછે...
આમ આપણાં શાસ્ત્રો કહેછે.
ઘણા ધાર્મિક લોકો પોતે જયારે મંદિરે જાય ત્યારે પક્ષીને ચણ નાખવા નાની થેલીમાં બાજરી ઘઉં કે જુવાર અથવા ઝીણી મકાઇ જેવી ચીજો ઘરેથી લઇ જતા હોયછે રસ્તામાં આવતા મોટા ઓટલા કે ચબુતરી અથવા મંદિરની આગળ પાછળ ખાલી પડેલી જગ્યાએ ચણ નાખતા હોયછે...
આ એક સેવાની તેમની રોજીદી ક્રિયા હોયછે...
સવારે ઉગતા સુરજે જાતજાતના ને ભાતભાતના પક્ષીઓ વિજળીના તાર ઉપર કે મકાનની અગાસીઓ ઉપર કે જુના મકાનોના પતરાં ઉપર બેસીને કોલાહલ કરતા હોયછે...
કોઇ ચી ચી ચી..કોઇ કા કા કા...કોઇ ટેહુ ટેહુ..ટેહુ વગેરે જેવા મધુર અવાજો કાઢીને ચણ નાખનારની રાહ જોતા હોયછે...જેવા ચણ નાખનાર પોતાના ચણ નાખે એટલે તરત આજુ બાજુ બેઠેલા નાન મોટા પક્ષીઓ તે ખાવા તુટી પડેછે...તેમાં દરેક પક્ષીઓ સામેલ હોય...
જેવાકે..કબુતરો..ચકલીઓ..કાબરો..પોપટો..ને પેલા કાગડાઓ પણ આવતા હોયછે, દરેક જણ હળીમળીને પોતાના નસીબમાં જે ચણ હોય તે ખાતા હોયછે...
પરંતુ આવા ચણ લોકો ફકત સવારે જ નાખતા હોયછે! કોઇ બપોર કે સાંજે નાખતું નથી...ને મે આ બંન્ને સમયમાં ચણ નાખતા કોઇને જોયા પણ નથી!
કેમ કોઇ બપોરે કે સાંજે ચણ નાખતું નથી!...કદાચ પક્ષીઓ જ એક ટાઇમ ખાઇને ઉપવાસ કરતા હોય!
નીચે આપેલ એક ફોટામાં કબુતરો એક થાળીમાં આખે આખી બદામ ખાઇ રહ્યાછે...ભૈ બદામ તો આજ ગરીબોના નસીબમાં નથી હોતી તો આવી બદામ કબુતરો માટે કોણે મુકી!
પણ જો કદાચ ભુલથી પણ એક આખી બદામ કબુતરથી ખવાઇ જાય તો થોડાક સમયમાં તે કબુતરનું મોત થઇ શકે છે...
કારણકે બદામ સહેલાઇથી તુટી શકતી નથી..ને જો તે આખે આખી બદામ તેની ચાંચમાં નાખી દે તો તેના ગળામાં ભરાઇ જવાની શકયતા રહેલી છે..માટે આવી આખે આખી બદામ કયારેય ચણ માટે તેને ઉપયોગમાં ના લઇ શકાય...
Save birds...

Gujarati Thought by Harshad Patel Pij : 111160496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now