આપણા હિન્દુ સમાજ તેમજ અન્ય બીજા સમાજોમાં ઉંમર લાયક લોકોના આર્શીવાદ માથે લેવાની આપણી વર્ષો જુની પ્રથા છે...
છોકરી પરણીને સાસરે જાય ત્યારે તે તેના માતાપિતાના તેમજ બીજા તેના અનેક સગા સંબંધીઓના આર્શીવાદ લેતી હોયછે, છોકરો કમાવા પરદેશ જાય તો તે પણ તેના માતાપિતાના આર્શીવાદ લેતો હોયછે...અથવા કોઇ સંતાન પરીક્ષા આપવા જાય તો તે પણ તેના મમ્મી પપ્પાના આર્શીવાદ લેતો હોયછે...
આ આર્શીવાદ છે શું!
કોઇના માથે હાથ મુકી દેવો સાથે એક ફોટો પડાવી દેવો એટલે શું તેને આપણે આર્શીવાદ સમજીશું!
ના આ ખરેખર આર્શીવાદ હોતા જ નથી...
પરંતું આર્શીવાદ તેને જ કહી શકાય કે તમે જયારે કોઇના માથા ઉપર તમારા બે હાથ સાચા દિલથી...વેરઝેર સિવાય એક પ્રેમથી...મનમાં પ્રભુના નામ સાથે...સાચા મનથી આપો તેને જ આર્શીવાદ કહી શકાય ને તે તમારા આર્શીવાદ ચોકકસ ફળે પણ છે...
પરંતું આજકાલ આર્શીવાદ આપવાની એક નવી ફેશન જેવી સ્ટાઇલ બની ગઇછે...
પરંતું સાચા આર્શીવાદ તો તેને કહેવાય કે જયારે લગ્ન પછી સાસરે જતી દિકરીને તેના સગા માબાપ જે આપેછે...તે સાચા દિલથી આપેલા હોયછે...
બાકી ત્યાર પછીના જે કોઇ આર્શીવાદ પરણીતાને આપેછે તે તો એક સમાજના રીતરિવાજ મુજબના જ હોયછે...જે આપવા જરુરી બની જતા હોયછે...
આજે કોઇ ભિખારીને તમે બે રુપીયાનો સીક્કો આપો કે દશ રુપીયાની નોટ આપો ને તે તેનો હાથ ઉંચો કરીને આપણને આર્શીવાદ આપતા બોલેછે...કે બેટા સુખી થા...ભગવાન તારુ ભલુ કરશે...
આમ બોલવું તે દરેક ભિખારીના મોં ઉપર રોજીદુ હોયછે પરંતું જેને દશની નોટ આપી હશે તેને ભિખારી તરફથી સાચા આર્શીવાદ મળ્યા કહી શકાય...કારણકે તેને વધુ પૈસા મળ્યા હોયછે માટે તે દિલથી ખુશ થઇને આર્શીવાદ આપેછે...ને જેને બે રુપીયા આપ્યા હશે તેને તેઓ ખાલી બોલવા ખાતર જ બોલી નાખેછે...જા બેટા સુખી થા...
તેમના આ બંન્ને આર્શીવાદમાં ઘણો મોટો ફરક હોયછે...
ટુકમાં, સાચા દિલથી કોઇને આપેલા આર્શીવાદ કયારેય વિચલીત થતા જ નથી...તે હમેશાં ફળતા હોયછે...
કારણકે ઉપર ભગવાન પણ તે તેના સાચા દિલથી સાંભળી લે છે...ક્રમશ: