આજકાલ જમાનો ફાસ્ટ ફૂડનો થઇ ગયો છે લોકોને પોતાના ઘરનું જમવાનું ભાવતું નથી રોજે રોજે મોટી સારી હોટલોમાં જમવા જવાનું મન થાયછે અથવા તો રોડ ઉપર ઉભેલી લારીઓમાંથી ચાઈનીઝ વાનગીઓ ખાવાનું મન થાયછે પણ લોકો જાણતા નથી કે બહાર ખાવાનું ખાઇને પોતાના પેટમાં કેટલી બિમારીઓ દાખલ કરી દે છે.
ઘરે ગયા પછી કહે...મને રાત્રે ઉઘ નથી આવતી, મને પેટમાં દુખેછે, મને સવારે જુલાબ સરખો આવતો નથી...આમ થાય પછી કહે બસ આજે ધંધે નથી જવું કે નોકરીએ નથી જવું ઘેર રહીને જરાક આરામ કરી લઉ..કાલે ઠીક થઇ જશે
બસ દરેકને આમ જ થતું હોયછે...
ને પછી લાંબા ગાળે તો તેમને મોટી બિમારીઓ જ ચાલુ થઈ જાય છે. જેમકે બ્લડ પ્રેશર, કેન્સર, ડાયાબીટીસ, અંધાપો, વા, ઘુંટણનો દુખાવો...વગેરે વગેરે.
દાકતરની દવાઓ ખાઇ ખાઇને બીજા વધું ખર્ચા ઉભા થતા જાયછે.
જેટલા તમે ટેસ્ટ કરશો તેટલા ટેસ્ટ તમને તમારી પાછલી ઉમરે નડશે જરુર.
માટે જીવન સારુ ને વધું જીવવું હોય તો પોતાના ઘરમાં બનાવેલું તાજું ને ગરમાગરમ જ જમવાનું જમો તે પણ એકદમ સાદુ..હો! ને વધારે ઓલું તીખું તળેલું નહી જ.
સારુ જમો ને વધું જીવો.