આજે કોઇ એક ખુન કરે તો તેની ઉંઘ ઉડી જાય છે ને તેને એક ગભરાટ લાગી જતો હોયછે કે હવે મારું શું થશે! મને પોલીસ પકડીને લઇ જશે....પછી મને દંડા વડે સખ્ત મારશે...ને મારી શરીરની ચામડી ઉતરી જશે ત્યાર બાદ મને જેલની સજા મળશે, એ અલગથી...પાંચ વર્ષ, દશ વર્ષ કે આજીવન...
માટે ગુસ્સો બહું વિચિત્ર હોયછે તેમાં આપણે શું કરી દઇએ છીએ તે આપણે ભાન ભુલી જઇએ છીએ.
કારણકે એ સમયે આપણા મગજમાં ક્રોધ સવાર હોયછે તેને જો આપણે બહાર નહી કાઢીએ ત્યાં સુધી આપણે ચેનથી બેસતા નથી ને એ ક્રોધમાં ને ક્રોધમાં આપણે ઘણું બધું ના કરવાનું ખરાબ કામ કરી નાખીએ છીએ.
આવુ જો કયારેક થાય તો પહેલા આપણા ક્રોધને શાન્ત કરવો જોઇએ ને પછી શાન્તિથી વિચારવું જોઈએ કે મને ક્રોધ કેમ આવ્યો! શું કરું તો મારો ક્રોધ શાન્ત થાય! પણ આપણે એવો કોઇ વિચાર કરતા નથી ને આપણે આપણા ખરાબ પરિણામ તરફ ચાલ્યા જઇએ છીએ...
તેવી જ રીતે ન્યુઝીલેન્ડમાં થયેલો મંઝીદમાંનો ગોળીબાર પણ આમ જ થયેલો હતો. કોઇ આતંકીઓ ના હતા પણ
એક જ વ્યકતીએ પોતાની ઓટોમેટિક બંદુકથી એક પછી એક એમ પચ્ચાસ નિર્દોષ લોકોને ટીકડી ફુટે તેમ ગોળીએ મારી નાખ્યા...કે જેઓ નમાઝ પઢવા મંઝીદમાં ભેગા થયા હતા!
તેને એક જ મંઝીદ નહીં પણ બબ્બે મંઝીદને નિશાને બનાવી હતી તદઉપરાન્ત બહાર આવીને પોતાની ગાડીમાં બેઠા પછી પણ રસ્તે આવતા જતા લોકોને પણ બંદુકના નિશાન બનાવીને ગોળીએ શુટ કર્યા હતા!
તેની પાસે એક બંદૂક ના હતી, પણ તે તેની ગાડીમાં સાથે એકથી વધું બંદુકો લઇને આવ્યો હતો પણ બીજી બંદૂકો તેની ગાડીમાં આગળ મુકેલી હતી!
હાશ હવે તો તે પકડાઇ પણ ગયો ને પછી પોલીસે કોર્ટમાં હાજર કર્યો ત્યારે જજે ઘણા સવાલો તેને કર્યા કે તે આમ કેમ કર્યુ! કેમ લોકોને આમ જ મારી નાખ્યા!
પણ તેને એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો નહીં બસ તે ચુપચાપ મુંગાની જેમ ઉભો જ રહ્યો...
આ પણ એક વિચારવા જેવું છે કે તેને અચાનક એવું તે શું થઇ ગયું કે એક બે નહી પણ પુરા પચ્ચાસ લોકોને આમ જ દશ મિનિટમાં મારી નાખ્યા!
જે હોય તે, પણ આવો ગુસ્સો ધરાવનાર કંઇ પણ કરી શકે છે.. માટે ગુસ્સાને હમેશાં કાબુમાં રાખો ને જયારે પણ ગુસ્સો આવે ત્યારે શાન્ત ચિતે વિચાર કરીને તમારા પ્રોબલ્મનો ઉકેલ શોધો.
ગુસ્સા વગરનું જીવન જ એક શાન્તિવાળું જીવન છે.