શબ્બીર શેખ...
મહારાષ્ટ્રના કોઇ એક વિસ્તારમાં રહેતા આ શબ્બીર શેખ નામના કાકાને પહેલા તેમના પિતાનું એક ગાયો કાપવાનું કતલખાનું હતું ત્યારે તેમની ઉંમર દશ વર્ષની હતી ત્યારે તેમના પિતાને એક દિવસ ગાયો કાપતા જોઇ ગયા હતા તો તે આ ગાયો કપાતી જોઇને તેમને દિલમાં ઘણી જ વેદના થતી હતી કે આ શું! જીવતા જીવને આમ કાપી નખાય! શા માટે! કેવી તેમને તકલીફ પડતી હશે કે જયારે તે કપાતી હશે ત્યારે! બસ તે જ સમયે તેમનું દિલ દ્રવી ઉઠ્યું ને તેમના દિલમાં એક અલગ પરિવર્તન આવી ગયું કે આ ખોટું થઇ રહ્યુ છે બસ તે જ સમયે તેમના ભાગની દશ ગાયોને લઇ જઇને પોતે જાતે જ તેઓનું પાલન પોષણ કરવા લાગ્યા ને પોતાની પડતર જમીનમાં ગાય બળદો માટે ખાસ ખાવા માટે ઘાસ પણ ઉગાડયું સમય ઘણો જ થઇ ગયો પણ આજ તેમની પાસે કુલ ગાયો ને બળદો એકસો પંચોતેર જેટલા છે એક ખાસ તબેલો ઉભો કરીને તેઓની કાળજી પૂર્વક ઉછેર કરેછે સાથે સાથે તેમના ઘરના પણ સર્વે તેમના આ નેક કામમાં મદદ પણ કરેછે.
સરકારે આવા કામ માટે પદ્મશ્રી એવોર્ડ આપવા માટે તેમનું નામ પણ લિસ્ટ લખી દીધું છે.
આવા છે શબ્બીર શેખ કાકા
માણસનું દિલ કયારે બદલાય કે પરિવર્તન થાય તે કયારેય કહી શકાય નહીં ને જયારે પરિવર્તન થાય ત્યારે જ તેની સાચી જીંદગીની શરુઆત થઈ કહેવાય.
એક જમાનામાં વાલીયો લૂંટારો મટીને એક વાલ્મીકી સંત પણ થઈ ગયેલા દાખલા આપણે જાણીએ જ છીએ.