ખોળિયું

મળ્યું છે ખોળિયું માનવીનું ,
કરીને સત્કર્મ જીવનભર, એને સજાવીએ !

અમુલ્ય ભેટ છે એ પ્રભુની,
કરીને ભક્તિ પ્રભુની, એને ઉજાળીએ !

બેજોડ આ ખોળિયું દરેકનું,
કરીને સમ્માન દરેકનું,એને શણગારીએ !

આતમદીપ પ્રગટે એની મહીં,
એને નિરંતર સદૈવ જ્યોતિર્મય રાખીએ !

પંચમહાભૂતમાં વિલીન થાય એ મૃત્યુ પછી,
કરીને આત્મા ની ઉન્નતિ એને મોક્ષમાર્ગે દોરીએ !


ડો.સેજલ દેસાઈ
સુરત ?

Gujarati Religious by Dr Sejal Desai : 111076641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now