Gujarati Quote in Motivational by Naranji Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફળાઉ ઝાડ શા માંટે વાવવા જોઈએ ????????

સામાન્ય રીતે આપણે સૌ વિભિન્ન પ્રકાર ના ઝાડ પાન વાવિએ છીએ. જેમાં સપ્તપર્ણી, લીમડો, કારંજ, ગુલમ્હોર, આસોપાલવ, વગેરે જ હોય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટ આટલા ઝાડ વાવ્યા છતાંય કેમ વિવિધ રંગબેરંગી પક્ષિઓ, પતંગિયાઓ ખિસ્કોલા વિગેરે દેખાતા નથી, આંગણે લીમડો હોવા છતાંય કેમ એમાં પોપટ, ખેરખટ્ટો, કંસારો, લક્કડખોદ, સુડો, કોયલ, બુલબુલ, ચીબરી, ઘૂકિયો વિગેરે (એમાંથી ઘણા નામ તો લોકો એ સાંભળ્યા પણ નઈ હોય) પક્ષીઓ દેખાતા કેમ નથી, ચણ નાખવા ના ચબુતરા કેમ ખાલી નથી થતા. આ બધું વર્ષો થયા લુપ્ત નથી થયું, બસ હમણાં થોડા ૧૫/૨૦ વર્ષોની જ વાત છે. તમે જાણો છો રાજકોટ માં મોર સર્વત્ર હતા, હવે માત્ર રેલવે સ્ટેશન પાછળ ની વાડિઓ માં જ જોવા મળે છે. આ બધાજ પ્રકાર ના પક્ષીઓ નો ખોરાક આપણા દ્વારા નાખતા જવાર /બાજરી/દાળ નથી, પણ કોઈક એવા વૃક્ષો ના ફળ, ફૂલ, ને એમાં થતી જીવાતો છે કે જેનો આપણે જાણતા/અજાણતા નાશ કરી દીધો. કોઈ એવા મોટા વૃક્ષો માંની બખોલો જેનો સફાયો થયી ગયો.
આપણા આંગણા ની પ્રકૃતિ પાછી જાગૃત કરવા ચાલો ફરીથી આપણે એવા વૃક્ષો નું વાવેતર કરીયે જેના થાકી આ બધા જીવો પાછા ફરે ને પ્રકૃતિ ને પછી પેલા જેવી જીવંત બનાવે.

?????????

આવા વૃક્ષો માં........................??
જાંબુ, રાયણ, સફેદ જાંબુ, ગોરસ આમલી, મોટી બોરડી, શેતુરી, ફાલસા, જામફળ, કમરખ, ઉંબરો, પીપર, કદંબ, બદામ, પુત્રંજીવા, કરમદા, કાંચનાર, ગરમાળો, ખાખરો(કેસુડો) , પાનેરવો, ગુગળ, પીલુ, મહુડો, અશોક, ગુંદા, ગુંદી, મીઠો લીમડો, રામ ફળ, બોરસલ્લી, સરગવો વિગેરે પ્રકારનાં વૃક્ષો આવે.
??????
??????

એમાંથી લગભગ બધા વૃક્ષો સર્વ-કાર્યક્ષમ એટલે કે ફળ આપવા સાથે છાંયો અને ઠંડક આપી ગરમી થી રક્ષણ કરે છે. જો તમારા અંગણાં પાસે ઝાડ બહુ ઊંચા થાય ને ઉપર ઇલેક્ટ્રિક ની લાઈન જતી હોય તો ઝાડ સામે ની બાજુ એ વાવવા નો આગ્રહ રાખો જેથી કરી ને ઝાડ ને કાપવા નો વારો ના આવે. નર્સરી વાળાઓ આવા વૃક્ષો
ઓછા રાખે છે અથવા નથી રાખતા કેમકે એમાં વળતર ઓછું મળે કે નહિવત મળે એટલેજ તે લોકો ગ્રાહકો ને ઊંધા પાઠ ભણાવી નકારી દેતા હોય છે, બીજે રવાડે ચડાવી દેતા હોય છે. ઘણી વખત વાંસ, સપ્તપર્ણી જેવા વૃક્ષો જે આપણા સ્થાનિક વૃક્ષો નથી એને માત્ર વધારે મળતી અવાક માટે વેચી ને જમીન બગાડી ને પ્રકૃતિ પણ બગાડી.

તો ચાલો આ વખતે ? વૃક્ષારોપણ ની ઈચ્છા થાય તો કૈક અનેરું કરીયે નર્સરી વાળા પાસે કૈંક અનેરી માંગણી કરીયે ને આપણી પ્રકૃતિ ને પાછી જીવંત કરવાનો પ્રયાસ કરીયે.
.
?⛲?⛲?⛲?⛲? copy for fb

Gujarati Motivational by Naranji Jadeja : 111040160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now