મૌત એ અરીસો છે કે તમને મર્યા પછી બતાવે છે કે તમારી છબી શું હતી? કોના માટે તમે કેટલા જરૂરી અને આવશ્યક હતા? કોઈક તો હશે જે તમારી પરત આવવાની આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠું હશે.
જિંદગીમાં જો સત્ય હોય તો તે એક માત્ર મૌત છે. મૌતએ કોઈ દર્દ કે પીડા નથી. મળ્યા પછી તો અગ્નિ દાહ થાય તો પણ એની અસર નથી રહેતી. તમે જે જીવ્યા છો અને જીવો છો ત્યાં જ પીડા, દર્દ કે સુખ હોય છે. મરનાર વ્યક્તિને તો કંઈ જ નથી ફરક પડતો પણ પાછળ રહી જનાર માટે આઘાત રહી જાય છે. બસ, જીવન અને મૌત એ જીવનાર માટે પીડા હોય તો મરનાર માટે પરમ આનંદની મુલાકાત પણ હોય શકે છે.
- ભૂપેન પટેલ અજ્ઞાત