દરિયા જેવો ખારો આ સંસાર છતાં,
આટલું નજીકનું આ સગપણ કોણે મોકલ્યું
ખુદાને પણ ખબર છે નહીં જડે અમુલખ છતાં,
ખોવાયું રાજપાટ, એ બચપણ કોણે મોકલ્યું
નથી વાણીમાં મધ જેવી મીઠાશ છતાં,
થયો મધુપ્રમેહ એ ગળપણ કોણે મોકલ્યું
નથી કોઈ આ જીવન અમર છતાં પણ,
લાકડીના ટેકે ચાલતું આ ઘડપણ કોણે મોકલ્યું,
શબ્દોના વાર જ ઊંડા ઘા કરી જાય છે છતાં,
આ પ્રેમમાં વાતો નું વળગણ કોણે મોકલ્યું..
-ક્રિષ્વી