ભલે થૈ જાય કોઈ રેબઝેબ પરસેવે;
નથી ચડતાં છતાંય પાણી પાછાં નેવે;
બોલ્યા પેલાં વિચાર કરજો સો વાર,
ફરતા નથી શબ્દો આવ્યા જે જીભે;
ન રાખી શકે જે નાના કે મોટાનું માન,
બતાવો પછી એ સન્માન કેમ મેળવે;
સાચી શ્રદ્ધા હોય છે જેમના મનમાં,
રામ નામે એ પથરા પાણીમાં તેરવે;
ભણતર પણ ત્યાં ઝાંખુ પડી જાય,
જે જે પાઠ જીવનમાં ઠોકરો શિખવે;
થુંકી પાછું ગરકવું અશક્ય છે "વ્યોમ"
એ જાણ્યું છે ભાઈ મેં તો અનુભવે;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર