જયારે જયારે કોઈ એમ કહે છે કે બસ હવે મારાથી નથી થતું, ત્યારે છેક સુધી ભરાઈ ગયેલા એની વાત તે કયા કારણથી કહે છે એ નથી સમજતું. ત્યારે એમ કહી દેવામાં આવે છે, સહન કર, બસ સહન કર ને કઈ ના બોલ. આવી જ વસ્તુઓ જીવલેણ સાબિત થાય છે કા તો હોનારત સર્જે છે. કોઈ વાર એમ કેમ નથી કહેવામાં આવતું કે હા છોડ, મૂક, નથી થતું તો ના કર.