વિચારોમાં એમના એવો ગરકાવ થયો કે,
અજાણતાં જ નખ ખોતરાઈ જાય છે.
એમના વ્યક્તિત્વ માં છેજ કંઈક એવું કે,
ન લખવું હોય તો લેખ લખાઈ જાય છે.
ક્યાંક છૂટે ના સાથ એમનો એ વિચારે જ,
ના ચાહતાં પણ દખ નોતરાઈ જાય છે.
ગુમસૂમ થૈ જાઉં છું એમના વિચારો કરતાં,
આમ ને આમ સુખ વિખેરાઈ જાય છે.
નકારાત્મક વિચારો આવ્યા કરે છે સતત,
એથી જીવનમાં વખ ઘોળાઈ જાય છે.
મૃત્યુ બાદ ની ક્યાં કોઈ ખબર છે "વ્યોમ"
જીવતાં અહીં દોજખ જીવાઈ જાય છે.
પણ, જોઉં છું જ્યારે એનો હસતો ચહેરો,
હૈયામાં અનેરો હરખ છવાઈ જાય છે.
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)