જોને મનની પરંપરાગત બિમારી છે,
તૃષ્ણા નાગિન તો સદાની ભિખારી છે.
પરણી સત્તરસો વખત જો બિચારી છે
તે છતાં પણ છે, સ્મશાને કુંવારી છે.
હોય તાર્કિક ચર્ચા અનુભૂતિ વેદાંતી છે
એક સ્થાપે બીજો, ઉથાપે ખુમારી છે.
હો મનોરથ મનની આદત નકામી છે,
હાર્યો રમતાં જ્યા, રમે ફરી જુગારી છે.
હુંસા તુંસી મનમાં , ત્યાં હું સવાલી છે.
પામે શું આનંદ ત્યાં ? થઇ ખુવારી છે.
-મોહનભાઈ આનંદ