*મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અર્જુનને સમજાવે છે*
*કૃષ્ણ:*
*ત્રાજવા પર સંભાળીને ચઢજે*
*પગ બરાબર સંતુલીત રાખજે*
*ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે*
અર્જુન એમને અટકાવી અધિરાઈથી પૂછે છે:
બધું મારે જ કરવાનું?
તો તમે શું કરશો?
*કૃષ્ણ સુંદર જવાબ આપે છે: જે તારાથી ન થાય એ હું કરીશ*
અર્જુન:
એવું શું છે જે મારાથી નહીં થાય?
*કૃષ્ણ:*
*હું પાણીને સ્થિર રાખીશ*
*સારાંશ: આપણે આપણુ કર્મ કરવાનું ભગવાન શું કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે .*