માણસ અને પ્રકૃતિ......🌸🌸
પ્રકૃતિ આજે સોળે કળાયે ખીલી ઉઠી છે....પ્રદુષણ ઓછું થવાથી પારેવા જાણે ખુશ લાગે છે...🍁
નદીના જળ જાણે પવિત્ર બની વહેવા લાગ્યા છે...
માણસ ઘરમાં પુરાયો ને કુદરતી સૌંદર્ય ખીલવા લાગ્યું
છે....🌸
આ બધું જોઈ લાગે છે કે પ્રકૃતિ માણસથી જ હેરાન
હતી....માણસ પોતાના સ્વાર્થ માટે જાણે કુદરત ની
સિસ્ટમ ભૂલી ગયો હતો.....🌸
કુદરતે કોરોના વાયરસ દ્વારા આખી દુનિયાને જાણે સંદેશ
આપ્યો છે કે મેં તારે માટે બનાવેલ પ્રકૃતિને તું નુકશાન પહોંચાડી તું મને સાઈડમાં કરી આગળ ના નીકળી શકે...🌸
આવેલી આ મુસીબત કાલે જતી રહેશે પણ આપણે
એક સારા માણસ બની કુદરતના ઇશારાને સમજી હજુ
પણ પ્રકૃતિનું જતન કરીએ તો સારું....🌹
શીલા....🌸🌸