આચાર્ય પરમ પૂજ્ય પ્રભોધચંદ્રસૂરિ એ કહેલા આ ૧૦ સુવાક્યો.🙏

1. 🙏જયા સુધી ચુપ રહીને બધું સહન કરતા રહીએ ત્યા સુધી આપણે દુનિયાને સારા લાગીએ છે... પરંતુ એકાદ વખત પણ સાચી વાત કહી દીધી તો આપણા જેવો ખરાબ માણસ આ દુનિયામાં કોઈ નથી તેવું તે માની લેશે...

2. 🙏દુનિયા સાથે લડી લેનારા ઘરઆંગણે જ હારી જતાં હોય છે...

3. 🙏હ્રદય થી નમવું જરુરી છે સાહેબ… ખાલી માથું નમાવવા થી ભગવાન નથી મળતા...

4.🙏’મદદ' એ ખૂબ જ ' મોંધી 'ભેટ છે, તેથી દરેક પાસેથી તેની ' અપેક્ષા ' રાખશો નહિ. કારણકે ખૂબ જ ઓછા લોકોના હ્દય ' શ્રીમંત ' હોય છે…

5.🙏વૃત્તિ શ્રેષ્ઠ હોય તો..કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની

6🙏વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો..

7🙏પીરસાયેલાં ભોજનમાં આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોયીએ ત્યારે... કેટલાક લોકો સુકા રોટલા માટે ભગવાનનો આભાર માનતા હોય છે.

8🙏સાવ સરળ શબ્દ, "સમજણ" કાનો માત્રા કયાં છે? છતાં, બધામાં નથી હોતી.

9🙏દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે, તો જમીન પર આટલી ભીડ કેમ છે…

10🙏પરિવારમાં જે વ્યક્તિ સમજદાર, લાગણીશીલ, જતુ કરવાની ભાવનાવાળો, તેમજ ગમ ખાઇ જનાર હોય, તેનેજ પરિવાર ના અન્ય સભ્યો નકામો ગણી હાંસી ને પાત્ર બનાવે છે.પણ હકીકતમાં એ જ વ્યક્તિ નાં કર્મ ને કારણે જ પરિવારનાં અન્ય સભ્યો સુખી અને સંપન્ન હોય છે...!

👌🏼👌🏼✅✅

Gujarati Motivational by Umakant : 111534563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now