The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
45
41.9k
122.8k
પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.
“મન પાંચમનો મેળો “ આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં, ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ, કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે. કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે: અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે. કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં, ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં, કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે. કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા, કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ, સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે
ઓળખો તો ઔષધ.:- પાયોરિયા (દાંતનો સડો):- સરસીયા તેલ સાથે મીઠું મેળવીને દાંત પર ઘસવાથી પાયોરિયા (દાંતનો સડો ) મટે છે. 🙏
ઓળખો તો ઔષધ:- પગનાં ગોટલાનો દુ:ખાવો:- કોપરેલ તેલને ગરમ * કરી ગોટલા પર માલિસ કરવાથી આરામ મળે છે. * ચેતવણી:- કોપરેલને ગરમ કરતાં ભડકો થાય, માટે વાટકા અથવા તપેલીમાં પાણી ભરી ગરમ કરવું. 🙏
विद्या मित्रं प्रवासेषु , भार्या मित्रं गृहेषु च | व्याधितस्यौषधं मित्रं , धर्मो मित्रं मृतस्य च || *વિન્યાસ* धर्म: मित्रम् व्याधितस्य औषधम्। *ભાવાર્થ* ભણતર (જ્ઞાન) પ્રવાસમાં, પત્ની ઘરમાં, ઓસડ (દવા) રોગીનો અને ધર્મ મૃત્યુ પામેલાનો ઉત્તમ સાથીદાર છે. 🙏શુભ બૃહસ્પતિવાર!🙏
ઓળખો તો ઔષધ:- લોહીની શુધ્ધિ. (લોહીનું શુધ્ધિકરણ): મેથીના કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહી શુધ્ધ થાય છે. 🙏
ઓળખો તો ઔષધ.;- આંજણી : મરીને પાણીમાં ઘસીને આંજણી પર લગાડવાથી જલદી પાકીને ફુટી જાય છે 🙏
ઓળખો તો ઔષધ. એસીડીટી :- આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે 1 ચમચી લેવાથી એસીડીટી મટે છે. 🙏
“જન્માષ્ટમી સ્પેશિયલ” એ કાન તું એક વાર અમદાવાદ આવી તો જો. અહિં રસ્તાની ગાયને ઉઠાડી તો જો, સોળસો ગોપીઓ. તેં ગોકુલમાં. રાખી. અહિં. એક કોલેજની છોકરીને પટાવી તો જો સારથી બની તેં અર્જુનનો રથ તો હાંક્યો અહિં માણેકચોકમાં મારુતિ કાર ચલાવી તો. 🙏🏻 ભરી સભામાં ચીર તેં દ્રૌપદીના પૂર્યા , અહિં મલ્લિકાને દુપટ્ટો ઓઢાડી તો જો, ગેડીદડામાં તો તેં સૌને હરાવ્યા, અહિં ચૂંટણીમાં મોદીને હરાવી તો જો.
ઓળખો તો ઔષધ.:- રતાંધળાપણું બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે.
“નાગરોની જ વાત નીકળી છે તો ગુજરાતની પહેલવહેલી ગ્રેજ્યુએટ મહિલા પણ નાગર બહેનો હતી, જેમનાં નામ છે વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા. ૧૯૦૧ની સાલમાં આ બન્ને બહેનોએ સ્નાતકની ડીગ્રી મેળવી હતી.” 🙏🏻
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser