Quotes by Pragna Ruparel in Bitesapp read free

Pragna Ruparel

Pragna Ruparel

@pragnaruparel.605432
(2.2k)

"પ્રેમ કોઈ સરકારી આયોજન ની પંચવર્ષીય યોજના નથી કે એનું પ્લાનિંગ થાય.એવું જ ભક્તિનું છે"
" like love, bhakti Happens"
(નગીનદાસ સંઘવી)
જય સ્વામીનારાયણ

Read More

"તમે જ્યારે લોકોની મદદ કરવા માગતા હો ત્યારે લોકો ને સત્ય કહો છો.પણ તમે ખુદ ની મદદ કરવા માંગતા હો. ત્યારે લોકો ને ગમી જાય એવું જુઠ બોલતા થઈ જાવ છો.
( થોમસ સોવેલ)
જય સ્વામીનારાયણ

Read More

"લાગણી"અને"લાપસી" સામેવાળા ની પાચન ક્ષમતા જાણ્યા વગર પીરસવાની ભુલ ના કરવી.


જય સ્વામીનારાયણ

I am pragna.
ઇંગ્લિશ માં આઈ કેપિટલ હોય અને પ્રથમ એબીસીડી નો મોટો હોય બરાબરને?
પણ જીવન માં આનાથી ઉલટું ગણિત છે. એમાં આઈ હંમેશા નાનો રાખવાનો.આઈ એટલે હું.
હવે વિચારો જીવન માં સુખ,શાંતિ,પ્રેમ મેળવવા માટે આઈ હંમેશા નાનો રાખવાની કોશિશ કરવી.આઈ મોટો એ ઇંગ્લિશ માં સાચું.પણ આઈ નાનો હોય એ જીવનમાં સાચું.માણસ ને બધી તકલીફ આઈ એટલે હું.એમાં જ પડે છે.અને હું એટલે અહમ્.
મેં ક્યાંક વાંચ્યું હતું.
લાઇફ ની ફાઇલ માં જો" હું કહું તેમ " પાસવર્ડ નાખો તો દુઃખ ની ફાઇલ ઓપન થાય."તમે કહો તેમ" પાસવર્ડ નાખો તો સુખ ની ફાઇલ ફાઇલ ઓપન થાય.
હા ,પણ બધે આનો ઉપયોગ નો થાય.આપણે સમજદારી પણ રાખવી પડે.
જય સ્વામીનારાયણ

Read More

કોઈ પણ વ્યક્તિ ક્યારેય સુખી નથી.કારણ કે કોઈને અભાવ નડે છે.કોઈને સ્વભાવ નડે છે.અને કોઈને પ્રભાવ.
કારણ, મનુષ્ય અને સંબંધ ક્યારેય સંપૂર્ણ નથી હોતા.બધા માં એડજેસ્ટ કરવું જ પડે છે.માટે સુખી થવું હોય તો તમે પોતાને સુખી કરો.બીજાની અપેક્ષા રાખ્યા વગર.
જય સ્વામીનારાયણ

Read More

તમને દુઃખી કોણ કરે? પારકા? ના પોતાના.
શા માટે? કારણ આપણી અપેક્ષા અનુસાર એ રિસ્પોન્સ ના આપે.બરાબર ને?
સુખી કેમ? કારણ આપણી અપેક્ષાઓ પૂર્ણ થાય. બસ આ જ વ્યાખ્યા છે.તમારું શું માનવું છે?
માણસ ને જીતવું પણ પોતાના પાસે.પણ યાદ રાખો,પોતાના પાસે હારી ને પણ જીતવાનું જ છે.
પણ યાદ રાખો આશા અને અપેક્ષા વગર બીજા ને ખુશી આપવામાં જીવનની સાર્થકતા છુપાયેલી છે.તમારું શું માનવું છે?
જય સ્વામીનારાયણ

Read More

સંબંધો
સંબંધો માં પણ તમારી પરીક્ષા થાય છે.ક્યારેક દોડવુ પડે,ક્યારેક રોકવું પડે.પણ યાદ રાખો મિત્રો પાણી માથાની ઉપર જાય ત્યારે ઝઘડવું પણ પડે.
સંબંધો ના સ્વરૂપ પણ દરેક સંબંધ માં અલગ અલગ છે.તમારું શું માનવું છે?
જય સ્વામીનારાયણ

Read More

એક રિલેશન ખરાબ ક્યારે થાય? જયારે તમને એવું લાગે.કે હું પરફેક્ટ છું.અને સામેનું પાત્ર નથી.પછી એને બદલવાની કોશિશ કરો ને ત્યારે ધીમે ધીમે તમારા રિલેશન ખરાબ થાય છે.યાદ રાખો,બીજાને બદલવા કરતા ખુદ બદલો.
જય સ્વામીનારાયણ

Read More

શબ્દો
જ્યાં સુધી તમો મુખ માંથી શબ્દો નથી બોલ્યા.ત્યાં સુધી એ તમારા ગુલામ અને નીકળી ગયા પછી, તમે એના ગુલામ.માટે શબ્દો બોલતા પહેલા વિચારો.
જય સ્વામીનારાયણ

Read More