The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા. એક છાપું,એક દૂધની થેલી ને રોજ એક માટલું પાણી, બઉ થ્યું. ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ માંડ ખાલી થાય. ‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી. સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે. જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે ને ફક્ત દાળ હોય તોય ભયોભયો! ખીચડી એટલે બત્રીસ પકવાન ને છાશ હોય પછી જોઈએ શું! ‘સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા, ચાર પણી ભાજી, આદુ-લીંબુ-ધાણા’ થ્યું અઠવાડિયાનું શાક. ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને પાચ કિલો ચોખા નાખ-નાખ થાય! ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ! નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી, આમ આઠ-દસ વાસણો માંડ વપરાય તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘસાય. વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં તે કિલો ‘નિરમા’ મહિને કાઢ્યો ન ખૂટે! કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને પફ-પાવડર તો ગ્યાં ક્યારના ભૂલાઈ...? પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા. ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય. એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે. ‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’ કહી જાય. તે પલકારામાં બે જણ પાછાં હતાં એવાં થઇ જાય. પછી પાછી ઈ જ રટણ પડઘાય, ‘બે જણને જોઈએ કેટલું?’ દિકરીને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા. - Megha
જરૂરી નથી કે બધા બધે કામ આવે... આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ સ્વાગત તો બધાનું એ જ કરે છે તોરણ બનીને . - Megha
સ્વીકારવાની હિંમત અને સુધારવાની નિયત હોય તો, માણસ જીવનમાં ઘણું બધુ મેળવી શકે છે. . - Megha
ભગવાન હનુમાન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. - Megha
સમય ને હારી પણ ના શકાય, સમય ને જીતી પણ ના શકાય, ફક્ત ને ફક્ત સમય થી શીખી શકાય.. - Megha
દરેક સમયે ઇશ્વરનું ધારેલું જ થાય છે, પરંતુ સુખના સમયે આ વાત સમજાતી નથી. . - Megha
ઊકળતા પાણીમાં પ્રતિબિંબ જોઈ શકાતું નથી તેવી જ રીતે ક્રોધિત અવસ્થામાં સત્ય ઓળખી શકાતું નથી . - Megha
આપવા વાળો હજાર હાથ વાળો છે એટલે ચિંતા ન કરો બે હાથ વાળા એનું આપેલું કેટલુંક લૂંટી શકશે.. - Megha
બંધનોની માળા જ્યારે તૂટે છે, ત્યારે બીજી વખત જોડવાથી નાની થઈ જાય છે. કેમ કે લાગણીઓના મોતી વિખેરાઈ જાય છે... - Megha
મુદ્દાની વાત : 'તક'ને અમલમા મુકવાનુ નામ એટલે નસીબ..!! . - Megha
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser