Quotes by vaghela janvi in Bitesapp read free

vaghela janvi

vaghela janvi

@janvi2332


અધ્યાય - ૧ (ભગવદ્ગીતા)
૧) અતિ-આત્મવિશ્વાસનું નુકસાન (કુગર્વનું બળ)
•યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન પોતાની સેના જોઈને અતિ-આત્મવિશ્વાસમાં આવી જાય છે. તે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા મહાન યોદ્ધાઓ પર અતિશય ભરોસો રાખે છે, પણ એ ભૂલી જાય છે કે સામે પક્ષે ભગવાન શ્રીકૃષ્ણ (ધર્મ) છે. આ શીખવે છે કે માત્ર સંસાધનોથી જ ક્યારેય જીત નથી થતી, સત્ય અને નીતિ હોવી જરૂરી છે

ઉદાહરણ:કોઈ પણ માનવ ધનવાન થઈ ગયા પછી અહંકારમાં આવીને કોઈ પણ લડાઈ કે બાબતને નાની સમજવાની ભૂલ કરી બેસે છે અને આખરે અહંકારી બની જાય છે.વિદ્યાર્થીઓમાં પણ આ નુકસાન જોવા મળે છે. જો કોઈ વિદ્યાર્થી એમ વિચારે કે "મને બધું જ આવડે છે", તો તે આત્મવિશ્વાસ નથી પણ અહંકાર છે. સાચો આત્મવિશ્વાસ એટલે પોતાની મહેનત પર ભરોસો રાખવો, નહીં કે બીજાને નીચો દેખાડવો

Read More