Quotes by Chetan Gajjar in Bitesapp read free

Chetan Gajjar

Chetan Gajjar Matrubharti Verified

@gajjarck
(1.7k)

નાસ્તિકની ડાયરી
નિચલા મધ્યમ વર્ગમાં જન્મેલો એટલે કોઇપણ વસ્તુનુ મૂલ્ય ખૂબજ સારી રીતે સમજતો હતો અને આજે પણ સમજુ છુ.
જે શીખ નાનપણમાં મળી હતી એમાની એક અહિંયા કહેવા માંગુ છુ.
જ્યારે ઘરમાં ફળ આવે અને મમ્મી એ સુધારવા બેઠા હોય ત્યારે જો કોઇ ફળ સડેલુ કે ખરાબ નીકળે તો મમ્મી આખુ ફળ ફેંકી ની દે પણ જેટલો ભાગ ખરાબ છે એટલો કાઢી દે. અમે એટલા અમીર પણ નહોતા કે આખુ ફળ ફેંકી દઇએ, અને એટલા ગરીબ પણ નહોતા કે ખરાબ ફણ ખાઇ જઇએ.
જીવનમાં પણ મે એજ વસ્તુ ઉતારી છે અને ધર્મની બાબતમાં પણ મારો એજ અભિપ્રાય છે.

Read More

નાસ્તિકની ડાયરી
એક વકિલનુ કામ શુ?
જો સામાન્ય માણસ તરીકે વિચારીઓ તો પોતાના ક્લાયન્ટને બચાવવાનુ. એ ગુન્હેગાર હોય કે ના હોય એનાથી કોઇ ફરક નથી પડતો.
કદાચ આપણે પણ એવાજ વકિલ ઇચ્છીએ છીએ જ્યારે આપણે ગુન્હેગાર હોઇએ ત્યારે.
હવે ખરેખર સાચો વકિલ કોણ જે સત્યને કોર્ટ સુધી પહોંચાડે ભલે એ પોતાના ક્લાયન્ટના વિરુધ્ધ કેમ ના હોય.
અત્યારે તમે જ્યા જોશો ત્યા અલગ અલગ વિચારધારાના વકિલો જોવા મળશે જેમનુ કામ યા તો પોતાની વિચારધારાને બચાવવાનુ કે પછી સામેવાળાની વિચારધારાને ખોદવાનુ.

Read More

સત્ય શુ છે એમા કોઇને રસ નથી એમને રસ હોય છે પોતાની વિચારધારાનેજ સત્ય બતાવવાની.
જેમ કે એક કિસ્સો લઇએ: એક માણસે આત્મહત્યા કરી, એ માણસ ખેડૂત છે. એક ડાબેરી કહેશે કે ખેડૂતે આત્મહત્યા કરી અને જમણેરી એના બચાવમાં આવી જશે. સત્ય જાણવામાં કોઇને રસ નથી કે એણે આત્મહત્યા કેમ કરી?
બીજો કિસ્સો: આર્મીએ કથિત આતંકવાદીને માર્યો તો ડાબેરીઓ એ આર્મીને કોસવા લાગશે જ્યારે જમણેરી આર્મીના બચાવમાં આવી જશે.
સામાન્ય: કોર્ટ પર પણ ત્યારજ વિશ્વાસ કરશે જ્યારે કોર્ટનો નિર્ણય એમની વિચારધારાની તરફેણ કરતો હશે.
આમા સત્ય ક્યાં?

Read More

બાકી જે કોર્ટના આધિન ના હોય એમા પોતે બધી બાજુની તપાસ કર્યા બાદજ કોઇ અભિપ્રાય બનાવવો કારણ કે વિચારધારામાં લીન લોકો એમના લખાણમાં ક્યાક તો એવી ભૂલ છોડતાજ હોય છે જેના પરથી તમે એટલુ તો સમજીજ શકો કે આ ખોટુ છે. જો શક્ય હોય તો બાકી છોડી દેવુ કારણ કે ભાઇ એના સિવાય મારે પરિવારને પાલવવાનો છે અને એ સૌથી મોટુ સત્ય છે.
(અને હા ઘણીવાર એવુ બની શકે કે તમે ખોટા પણ હોવ તો એને સ્વાકરવાથી અચકાવાનુ નહિ, એ પ્રમાણિકતાનુ સૌથી મોટુ પ્રતિક છે જે મોટાભાગના લોકોમાં જોવી નથી મળતુ પણ વાતો તો પ્રામાણિકતાની કરતા હોય છે)

Read More

નાસ્તિકની ડાયરી
લોર્ડ મેકકોલેના નામે એક લેટર ફરે છે જેમાં ભારતીય સંસ્કૃતિને મહાન ગણાવતી વાતો કરવામાં આવી છે. જે અટેચ કરુ છુ અને હવે એનુ સત્ય જાણવા થોડો પ્રયત્ન કર્યો તો જે મળ્યુ એની પણ લીન્ક શેર કરુ છુ.
એક પ્રોપોગન્ડા હોઇ શકે છે સંસ્કૃતિને મહાન ગણાવવાનો.
હુ એવુ તો નથી માનતો કે ભારતીય સંસ્કૃતિ બઉજ મહાન હતી પણ જો છતા પણ તમે માનતા હોવ કે બઉજ મહાન છે તો એને સાબિત કરવા આવા પ્રોપોગન્ડાનો સહારો ના લેવો જોઇએ.

Read More

હુ એવુ તો નથી માનતો કે ભારતીય સંસ્કૃતિ બઉજ મહાન હતી પણ જો છતા પણ તમે માનતા હોવ કે બઉજ મહાન છે તો એને સાબિત કરવા આવા પ્રોપોગન્ડાનો સહારો ના લેવો જોઇએ.
હુ એવુ માનુ છુ કે ભારતીય સંસ્કૃતિ મહાન હતી કે નહિ એનાથી કંઇજ ફરક નથી પડતો, અત્યારે આપણે ક્યા છીએ એ વધારે મહત્વનુ છે. શુ અત્યારે આપણી સંસ્કૃતિ મહાન છે?
એક પુસ્તક વાંચી શકો છે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન વિષે જાણવા. કદાચ થોડો ગર્વ થાય અને એ પણ સાચો.
“Science in Ancient India: reality Vs Myth” By Science Breakthrough Society, Kolkata.

Read More

નાસ્તિકની ડાયરી
કાલે "હિન્દી મીડીયમ" જોયુ. ઘણા એવા દ્રશ્યો છે જ્યારે મન ભરાઇ જાય અને આંખો ઊભરાવા લાગે.
એક વેકઅપ કોલ કહી શકાય.
એડ્યુકેશન સિસ્ટમ તો એક માધ્યમ છે જેના દ્વારા વાર્તા કહેવામાં આવી છે પણ વાર્તાનો હાર્દ છે
"જેનો હક છે એ એના સુધી પહોંચવા દો, કોઇનો હક મારશો નહિ"
આજે દરેક ક્ષેત્રમાં આ જોવા મળે છે કહેવાતા અમીર લોકો ગોલમાલ કરીને ગરીબ લોકોનો હક મારતા જોવા મળે છે.

Read More

હિન્દી મીડીયમમાં તો એડ્યુકેશનની વાત કરી છે પણ હેલ્થકેર સિસ્ટમમાં "માં અમૃતમ યોજના" "બી.પી.એલ કાર્ડ" અને બીજી ઘણી એવી યોજનાઓ છે જે ગરીબ લોકો માટે છે જેના ભરપૂર દુરઉપયોગ સરકારી અધિકારીઓ અને સ્વાર્થી લોકોની મીલીભગતથી ચાલે છે.
છેલ્લે: સૌથી વધારે ધાર્મિક દેશના લોકો આટલા અપ્રામાણિક કેમ? જે દેશના રગેરગમાં ધર્મ વહે છે ત્યાં કેમ એક અમીર થોડા પૈસા માટે એક ગરીબનો હક મારતા ખચકાતો નથી? શુ ભગવાન અને ધર્મ મંદિર પૂરતા સિમિત છે?

Read More

એટલેજ હુ કહુ છુ કે ભગવાનનુ કોઇ અસ્તિત્વ નથી હા ધર્મ છે પણ કદાચ એની સમજ નથી કે પછી અધૂરી છે કે પછી જેને ને જે સમજવુ હોય એ સમજે છે અને છેલ્લે ઘણા એજ સમજે છે જે એમના ફાયદામાં છે.
(જેને આપણે ધાર્મિક પુસ્તકો કહીએ છીએ એ સદીઓ પહેલા લખાયેલા છે, હુ એને પુસ્તકો ગણુ છે જે એક કલ્ચરનો પાયો છે. મારી પોતાની સમજ પ્રમાણે એ પુસ્તકોના લખાણોને સમજવાનો પ્રયત્ન કરુ છુ)

Read More