Neelakrishna - Part 24 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 24

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 24

નજીકનાં એક ઝાડ પર બેસીને નિલક્રિષ્ના પોતાની વાંસળી મૂખ પર લગાવી.

નિલક્રિષ્નાનાં મૂખ પર મુરલી રાખતાં જ મધુર સૂર લહેરાવા લાગ્યો. આ સૂર અને એનાં રૂપ માધુરીનું અલૌકિક દર્શન થતાં એ યુવકના મનમાં અંત્યત આનંદ થયો.આ આનંદ સાથે નિલક્રિષ્નાની છબી એનાં હ્દયકુંજમાં છપાવા લાગી. આ સૂર એનાં કાનમાં જતાં એ હંમેશા માટે એનો ગુલામ થઈ ગયો હોય એમ મગ્ન એ સૂરમાં થઈ રહ્યો હતો. વાંસળીની ધૂન પૂરી થતાં સાંજ પણ થવા આવી હતી. સાંજ થતાં જ અંધારું આગળ વધવા લાગ્યું. વદ પક્ષ હોવાથી ચાંદ હજુ સુધી પ્રકાશિત થયો ન હતો. નિલક્રિષ્ના એ અંધારે જ ત્યાંથી આગળ વધી રહી હતી. એ જોઈ અવનિલે એને કહ્યું કે, "મારો મનુષ્ય ધર્મ મને કહે છે કે, તમે ન ઇચ્છો છતાં મારે તમને અહીં એકલાં છોડવાં ન જોઇએ. આ રસ્તે જતાં અનેક અટપટાં માર્ગ આવે છે. તમે આ ગીચ જંગલમાં ખોવાઈ જશો. કદાચ તમે તમારાં લક્ષ્ય સુધી પણ ન પહોંચી શકો."

થોડો વિશ્વાસ આવતા નિલક્રિષ્નાથી ત્યાં અટકી જવાયું. એને આગળ જવામાં ડર તો કોઈ વાતનો ન હતો. પણ આ યુવક સાથેનો આ અજાણ્યો પરિચય એક નવી અનુભૂતિ સાથે એનાં મનમાં તારને છેડી રહ્યો હતો. હવે નિ:સંકોચ એ આ યુવક સાથે પોતાની વાત કહેતા કહેવા લાગી કે,

"અહીં એક જગ્યા હું શોધું છું.મારે ત્યાં પહોંચવું જરૂરી છે. શું તમે મને એ જગ્યા શોધવામાં મારી મદદ કરશો ?"

નિલક્રિષ્ના એ ઓળખાણ વગર આ યુવકને આમ સવાલ કરી નાખ્યો. પહેલો યુવક પણ હવે નિલક્રિષ્નાની ભાષા અને અલગ જ રીતે વાત કરવાની પધ્ધતિથી ઓળખી ગયો હતો કે, 

"આ છોકરી કંઈક અલગ વ્યક્તિત્વ ધરાવે છે."

નિલક્રિષ્નાએ એ યુવકની પાસે આમ મદદ માગી. એ યુવકે કંઈ જ વિચાર્યા વગર નિલક્રિષ્નાને વધારે જાણવાની ઈચ્છાથી પ્રત્યુતર આપ્યો કે,

"તમે કાલે સવારે આ જગ્યાએ મને મળજો. હું તમને જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચાડી આપીશ. અત્યારે રાત થવા આવી છે. તમે હવે ઘરે વહેલાસર ચાલ્યા જાઓ."

ત્યાંથી બન્ને છુટા પડ્યા અને એ યુવક હસતાં હસતાં પાછું વળીને જોતાં એમ બોલતો ગયો કે,  "આવો ત્યારે તમારા બાબા આર્દને પુછીને આવજો."

નિલક્રિષ્ના પોતે પોતાની જિંદગીનાં રહસ્ય વિશે જાણવાની ઉત્સુકતાથી આ કાર્યમાં આગળ વધી રહી હતી. અત્યારે એ જે પૃથ્વીમાં હતી એ ઝૂંપડીની કૃત્રિમ દુનિયા હતી. એટલે બાબા આર્દ અને હેત્શિવાને એમ કોઈ ડર પણ ન હતો કે, 'એ ગમે ત્યાં જાય અને ગમે એને મળે!' કેમ કે, કોઈ વ્યક્તિ અહીં કૃત્રિમ દુનિયામાં એનું નુકશાન કરી શકે એમ ન હતું.


સવાર થતાં એની ઝૂંપડીમાં આસપાસનાં વાતાવરણમાંથી સુગંધીત પુષ્પોની ખુશ્બુ ચોતરફ પ્રસરી રહી હતી. આ સુગંધીત હવા સાથે પંખીઓનો કલરવ થવા લાગ્યો. આ કલબલાટથી ખબર પડી રહી હતી કે,"સુર્યોદય થવાની તૈયારીમાં છે."

   બીજે દિવસે સવારે જે જગ્યાએ ભેગા થવાનું નક્કી જ હતું, એ જગ્યા પર સમયસર પહોંચવા એ તૈયાર થઈ રહી હતી.

  એ પહોંચી એ પહેલાં જ અવનિલ ત્યાં ઉપસ્થિત થઇ ગયો હતો.નિલક્રિષ્નાનાં ત્યાં આવતાં જ તરત એ બન્ને ત્યાંથી ત્રિવેણી સંગમ જવા નીકળી ગયાં. રસ્તામાં આ સોમનાથ મંદિર અને ત્રિવેણી સ્થળ વિશે જણાવતાં અવનિલે કહ્યું કે,

"બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ એટલે સોમનાથ શિવ મંદિર...! અહીં હજારો ભક્તો અને પર્યટકો આવતાં જતાં રહે છે. જે ભક્તો જ્યોતિર્લિંગનાં દર્શને આવે છે. એ બધા ત્રિવેણીયે પણ અચૂક આવે જ છે.  હિરણ, કપિલા અને સવસ્વતી આ ત્રણ નદીઓનું સંગમ સ્થાન આ ત્રિવેણી સંગમ છે. અને અહીં ભક્તોનું આવવાનું મહત્વ એટલે છે કે, એક શિવભક્ત સ્ત્રી ધરા જે શિવમાં લીન થઈ ગઈ છે, એ અહીં જ આ ત્રિવેણી સંગમ પર પોતાની શંખલાની બજાર લઈને બેસતી હતી. 
જે જગ્યાએ એ બેસતી એ પવિત્ર જગ્યા પર ભક્તો અચૂક આવે જ છે. જેટલું મહત્વ જ્યોતિર્લિંગનું છે એનાથી વધારે મહત્વ આ જગાનું છે. કેમ કે, ભગવાન પોતાનાં ભક્તને હંમેશા ઉંચુ સ્થાન આપે છે. એટલે આપણે આ સ્થળે પહેલાં આવ્યાં છીએ." 

ત્રિવેણીયે પહોંચ્યા પછી ત્યાંનો સુંદર નઝારો નિહાળતાં નિલક્રિષ્ના કહેવા લાગી કે,

"અહીંનું સૌંદર્ય અદભુત છે. ભાગ્યશાળી છે એ લોકો જેણે પૃથ્વી પર જન્મ મળ્યો છે."

" પૃથ્વી પર તો તમે ભી રહો છો. ક્યાંક તમે આકાશ કે પાતાળમાંથી નથી આવ્યા ને? એ યુવક પણ નિલક્રિષ્ના સાથે આમ હસી મજાક ચાલું રાખતો હતો.

   ત્રિવેણીએ એક જગ્યાએ બેઠા પછી નિલક્રિષ્નાએ કહ્યું કે, "કાલ આખી રાત હું એજ વિચારમાં રહી કે, હું કોઈ માણસને આમ જાણતી ન હોવા છતાં મારી નજીક કેમ અનુભવી શકું છું. તમારું નામ પણ હું હજુ જાણતી નથી. અને તમારી સાથે મને મારી હેત્શિવામા જેવું કેમ ફીલ થાય છે? હું એનાથી દૂર રહી શકતી જ નથી. એ મારાં પર હમેશાં પ્રેમ વરસાવ્યા કરે છે."

" આ કુટીરમાં તમારી માતા પણ તમારી સાથે જ છે? "

" હા,"

" હું અવનીલ છું."

" હું નિલક્રિષ્ના!"

આમ, બંને નો પરિચય થતાં આગળ વાતો વધવા લાગી.
ત્યાં અચાનક નિલ ક્રિષ્નાની આંખ સામે એ ત્રિવેણીની બજારમાં ધરા શંખલા વેચતી હોય, એવું ચિત્ર ઝાંખું ઝાંખું દેખાયું. એ વિચારવા લાગી કે, "ધરા મને સમુદ્રમાં મળી હતી. હા, એ પૃથ્વીવાસી જ હતી. પરંતુ એ મને કેમ ફીલ થાય છે? મારાં અને ધરા મા વચ્ચે શું કંઈ‌ સંબંધ છે ખરો ?"

એનાં મનની મુંઝવણ સાથે અઢળક વિચારો આવતાં જતાં હતાં. જવાબ કોઈ ન મળતાં એનાં મનનો સુરજ જાણે ડુબતો હોય એમ ધીરે-ધીરે અંધકાર થતો જતો હતો. એની નજીક બેઠેલાં અવનિલનના મનમાં એને લઈને ઘણાંય પ્રશ્નો ઉદભવતા હતા.એ પ્રશ્ર્નો મનમાં રાખીને એ એની સાથે વાતો કરતો ત્યાંથી આગળ ચાલવા લાગ્યો.

"કોઈ વસ્તુ વિશે જાણવાની તારી ઉત્કૃષ્ટતાથી હું ખુશ છું. કેમ કે, મને પણ પૃથ્વીનાં કણેકણની સંભાળ રાખવી ગમે છે. આજ સુધી મને તારા જેવું ઉત્સાહી કોઈ મળ્યું નથી. એ તો કહે કે,‌ તું કોણ છો? અને ક્યાંથી આવી છો‌?  

    અવનિલના આમ,પૂછવાથી એ જવાબ આપી રહી ન હતી. કદાચ એનું ધ્યાન અવનિલની વાતોમાં ન હતું. એ તો આ જગ્યાઓમાં પોતાને થતાં સવાલનાં જવાબ શોધી રહી હતી. ચિંતા ન કર,તારું સત્ય મને નિઃસંકોચ કહીં દે!  તને મારાથી કોઈ નુકશાન નહીં થાય. "અવનિલે પાણીનો ગ્લાસ આપીને એને વધું વિશ્વાસ આપતા કહ્યું. અવનિલની નજર નિલક્રિષ્નાનાં ચહેરા પર ગરકાવ થતી પરેશાની પરથી હટતી ન હતી. આજ બંને પાસે હતાં તો બંનેનાં ચહેરા પર અનન્ય તેજ દેખાતું હતું. જાણે બંને ભગવાનનાં દેવદૂત ન હોય એવાં સુંદર સ્વરૂપ...!અવનિલની નજર પાણીનો ઘૂંટ પી રહેલી નિલક્રિષ્નાનાં ચહેરા પર અટકી, અચાનક બંનેની આંખ મળી ને આંખ મીચામણી ખેલી રહી હતી.

વધારે ન વિચારતા એ આગળ કહેવા લાગ્યો કે,

"અહીં આવ્યા પછી આ નાવમાં બેસીને વિહાર કરવાથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. આ નાવ ધરાની છે. એટલે બધા અચૂક અહીં આવ્યા પછી આ નાવમાં વિહાર કરીને જ જાય છે."

અવનિલે નિલક્રિષ્ના તરફ સ્મિત વેરતી ભાષામાં આંખો ઝબકાવી ને એ નાવનુ દોરડું ખેંચ્યું, અને પ્રેમથી આ હોડીમાં બેસી જવા કહ્યું. નાવમાં બંને વિહાર કરવા લાગ્યા હતાં. અવનિલની નજર આ યૌવનથી ધગધગતી, રૂપલે મઢેલી ને કોયલ જેવા અવાજે વાંસળીનાં સૂર રેલાવતી એ નમણી નારની નજરમાંથી હટતી જ ન હતી. આ રૂપ, આ નિખાલસતા જાણે ચંદન રૂપી સુગંધ ફેલાવતાં હોય, એવું સુખદ સ્મરણ એને પોતાની અંદર થવા લાગ્યું હતું. અવનિલ પોતે પોતાની જિંદગીના જવાબથી નજીક હોય એવો અનુભવ એને થવા લાગ્યો હતો.

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા" કૃષ્ણપ્રિયા" ✍️