યોગદિન નિમિત્તેયોગ વ્યક્તિના શરીર, મન, લાગણી અને ઉર્જા એમ ચાર સ્તરો પર કામ કરે છે. યોગનાં આસનો અને પ્રાણાયમ દ્વારા શરીર અમે મન નું સારી રીતે ટ્યુનિંગ થાય છે. લાગણીઓ વધુ સારી રીતે વ્યક્ત પણ થાય છે અને જરૂર હોય ત્યાં લાગણીઓ પર યોગ્ય કાબુ પણ આપોઆપ આવી જાય છે.યોગ એટલે જોડાણ. કોસ્મિક એનર્જી જે આખાં બ્રહ્માંડમાં વ્યાપી રહી છે એની સાથે સાયુજ્ય. એટલે ધારણા અને સમાધિ એટલે માત્ર કોઈ ભગવાનનું ધ્યાન ધરવું એમ નહીં.એટલે સવારે ઉઠીને ઘરની બારી કે બાલ્કની માં ઊભી પાંચ મિનિટ ઊંડા શ્વાસ લો અને ખાલી થોડી સેકન્ડ સ્મિત કરો તો પણ જુઓ, મન પ્રફુલ્લિત લાગશે.યોગથી એટલે સામાન્ય રીતે સમજીએ છીએ એમ આસનો અને પ્રાણાયામથી શરીર, મન પ્રફુલ્લિત રહે છે, શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જેને સાત ચક્રો કહે છે તેમાંથી ઉર્જાનો પ્રવાહ વહી તમને અલગ ઉર્જા, શક્તિ આપે છે.યોગ માટે શરીર મન થી તૈયાર હોવા પ્રથમ તો યમ, નિયમનું પાલન કરવું પડે. યમ એટલે આપણી જાતે આપણી પર અંકુશ. એનાં પાંચ અંગો સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. વ્યાપક અર્થમાં આ અંકુશો એટલે ગંદુ સાહિત્ય સોશિયલ મીડિયા પર જોવું નહીં, બને ત્યાં સુધી ગંદી ગાળો બોલવી નહીં, અમુક જેમ કે આપણે માટે માંસ મદિરા જેવું અને અહિતકારી ખાવાપીવા કે નિરાંતે બ્લ્યુ ફિલ્મો, જાતીય હરકતો, અશ્લીલ અંગ મરોડો વળી પોસ્ટો, રીલ જોવા પર પણ અંકુશ. હું અમુક તો નહીં જ કરું એ યમ.નિયમ એટલે અનુસરણ. સૂત્રો સંતોષ, સ્વાધ્યાય, શૌચ, ઈશ્વર પરાયણતા વગેરે કહે છે. આપણે દરરોજ અમુક વાંચન કરીશ, ખોટી રીતે ઓવરટેક કે પાર્ક કરી બીજાને મુશ્કેલી નહીં કરું, લાઇન માં જ ઉભીશ જેવું પાલન. એ રીતે મગજને કેળવ્યું હોય તો યોગ નો હેતુ, દૈવી શક્તિ સાથે અનુસંધાન થઈ શકે.હવે આસનો અને પ્રાણાયમ એક ટેવ તરીકે રાખીએ. સમય હોય એ યોગબોર્ડ દ્વારા સમજપૂર્વક બનાવેલ મોડ્યુલ દ્વારા 40 મિનિટ યોગ પ્રાણાયમો વચ્ચે કાઢે તો સારું. હવેનાં આસનો પણ બહુ હળવાં હોય છે. બેસીને, ઊભીને, ચત્તા સૂઈ અને ઊંધા સૂઈ. આસનો થી આરોગ્ય થી સારું રહે છે, અમુક રોગ થતા નથી કે જલ્દી મટી જાય છે. આસનો શરીરના સ્નાયુઓને કેળવે છે, હાડકાંને તાકાત આપે છે. કહે છે શરીરમાં 72000 નાડીઓ છે. એમાં વધુ પ્રમાણમાં રક્તપ્રવાહ ઓક્સિજન સાથે ફરે છે એટલે ઉર્જા તો વધે છે, શરીર ઉંમરના પ્રમાણમાં મુશ્કેલ કાર્યો પણ કરી શકે છે જેમ કે 70 ઉપરના વયસ્કો દ્વારા પલાંઠી મારી બેસવું.એ આસનો યોગ્ય રીતે શ્વાસ લેવા મૂકવા સાથે કરીએ તો શ્વાસ સાથે પ્રાણ કહે છે એ શરીરના કોષોને જાગૃત કરે છે. પ્રાણશક્તિ સુષુમ્ણા નાડીમાંથી વહે છે. એ કરોડરજ્જુમાં વચ્ચે મનાઈ છે.પ્રાણાયમો એટલે એ જ રીતે શ્વાસ સાથે પ્રાણશક્તિનો સંચાર. મુખ્યત્વે શરીરનો કચરો બહાર ફેંકવા કપાલભાતિ, ઉર્જા ફેફસાં અને આખા શરીરમાં લેવા અનુલોમ વિલોમ, અવાજનાં મોજાં શરીરમાં ફેરવી કોઈ બ્લોક હોયવ્યો દૂર કરવા અને ઉષ્મા મેળવવા ભ્રામરી રોજ કરવા જેવા. યોગનાં મોડ્યુલ એ ત્રણ અને ગરમીના સમયમાં કે બીપી ઘટાડવા શીતલી એટલા વચ્ચે સાત થી આઠ મિનિટ કહે છે.સમય ન હોય તો ઉપર કહ્યું એમ ઊઠીને ઊંડા શ્વાસ અને થોડી , પાંચ સાત મિનિટની સ્ટ્રેચિંગ ક્રિયાઓ અવશ્ય કરવી. ફેર થોડા સમયમાં જ દેખાશે. તણાવમુક્ત રહેશો, સારી રીતે એકાગ્ર થઈ કામ કરી શકશો, ઝડપી નિર્ણય લઈ શકશો. આસનો કરતા હો તો આળસ લાગશે નહીં અને શરીર લવચીક, સપ્રમાણ, સુંદર રહેશે, મન સ્વસ્થ રહેશે, લાગણીઓ સંતુલિત રહેશે. પરિણામે જીવન વધુ સારું જીવી શકાશે.યોગમય જીવન માટે સહુને શુભકામનાઓ.