Neelakrishna - Part 21 in Gujarati Anything by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 21

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 21

આગળ ચાલતા એક સ્ત્રીનાં રુદનનો અવાજ આવી રહ્યો હતો.પરંતુ હું જાણતી હતી કે, "વૃજા ઢોંગ કરીને જ મને એનાં તરફ ખેંચી શકશે. બાકી એ મને એમ પોતાના હાથમાં પકડી નહીં શકે." આમ વિચારી મેં એ તરફ જવાનું જ ટાળ્યું.તે તરફ જવાનું તો મેં ટાળ્યું,પરંતુ વૃજા રાક્ષસીના પવનમહેલમાંથી ધરાને બહાર કેમ કાઢવી એ પણ મારાં માટે વિચારવાનો વિષય હતો.

    વૃજાનાં આવાં રુદનથી મને ખબર તો પડી ગઈ કે,

"આ જ પવનમહેલ છે." એ મારાં માટે પલ્સ પોઈન્ટ બની ગયો.મહેલની દિવાલે કાન દઈને સાંભળ્યું તો અંદરનાં સભાખંડમાંથી વૃજાનો અવાજ આવી રહ્યો હતો કે,

    "તોતિંગ પક્ષી વાવ્ય સમૃદ્ધમાંથી જે સ્ત્રીને લઈને આવ્યો છે, એને સભાખંડમાં મારી સમક્ષ ઉપસ્થિત કરો."

   વૃજાનાં આમ કહેતાં જ વાવ્ય હાજર થયો.અને પેલી સ્ત્રીને પણ પોતાના પેટા સિપાઈ દ્વારા વૃજા સમક્ષ હાજર કરી. મારું 'અજ્ઞ' મગજ ચાલું થય ગયા પછી કોઈ ધ્યાન લગાવવું પડતું ન હતું. હવે હું સરળતાથી જ બધું જોઈ સાંભળી શકતી હતી.

   ધરાનુ આખું શરીર લોઢાની સાંકળોથી કેદીની જેમ બાંધેલું હતું.ઓળખમાં પણ ન આવે એ રીતે ધરાનો ચહેરો સાવ મુરઝાઇ ગયો હતો.કેટલાં દિવસથી
ભુખી તરસી હોય,એમ એની ડોક વારંવાર સરખી કરવા છતાં પણ ખંભા પર નમી રહી હતી. વૃજાનાં કેટલાંય સવાલ કરવાં છતાં એ કોઈ જવાબ આપી રહી ન હતી.
કદાચ એટલે પણ જવાબ નહોતી આપી શકતી કે,એનાં શરીરમાં બોલવાની શકતી પણ બચી ન હતી. 

    "જ્યાં આટલાં વરસ રાહ જોઈ છે તો થોડા દિવસ વધુ રાહ જોઈશ,પણ સફળતા મેળવવીને જ જંપીશ.તું મને બતાવ કે,નિલક્રિષ્નાને હેત્શિવા ક્યાં લઈને જાય છે?
હું જાણું છું કે,તું રેતમહેલ સુધી પહોંચવામાં સફળ થઇ
ગઈ હતી. એટલે જ તારાં મુખે આ 'નિલક્રિષ્ના' નામ હતું."

   વૃજાએ પહેલાં તો શાંતિથી સવાલ કરવાનું શરૂ કર્યું.
ધરા તરફથી કોઈ ઉતર ન મળવા છતાં એ વારંવાર પૂછ્યે જ રાખતી હતી. " તું સમુદ્રની ઊંડાઈ તરફ શા માટે ગઇ હતી ?"

ધ્રુજતા સ્વરે ધરા જવાબ આપવાની કોશિશ કરી રહી હતી કે,  "હે રાક્ષસી! હું કંઈજ જાણતી નથી.હું તો પૃથ્વી વાસી છું.અને તું જે કહે છે એવા નામનાં શબ્દો મેં ઉચાર્યા પણ નથી. આ બધુ મારી સમજ બાર છે. કોણ છે આ નિલક્રિષ્ના? મેં ક્યાંય એને જોઈ પણ નથી.હું તો સમુદ્રમાં એક સંશોધન માટે ગઇ હતી.હું એક એવા અલગ પ્રાણીને શોધું છું. જે સમુદ્રી અને માનવ બન્ને જીવ સાથે મળતો હોય. એટલે કે, અર્ધ માનવ અને અર્ધ સમુદ્રી જીવ...! એવું પ્રાણી હું શોધી રહી છું.પર તમે તો શક્તિશાળી લાગો છો.મને નિર્બળને આમ બંદી બનાવવામાં તમારો શું ફાયદો છે ? "

"સ્ત્રી તું ચૂપ રે! મને આવી કોઈ વાતોમાં ઉલજાવ નહીં.
ફક્ત ને ફક્ત સત્ય જ કહે ! આમ, બનાવેલી વાતોથી મને ભોળવ નહીં."

" હે મહારાક્ષસી, મારો વિશ્વાસ કરો.હું સત્ય જ કહું છું. મને છુપાવવું નથી ગમતું. મારાં શબ્દે શબ્દે સત્ય જ ગોઠવાયેલું છે. હું તો પૃથ્વીવાસી છું. હું સમુદ્રનાં લોકોને કેમ કરતાં ઓળખું? મને તમે જે કહો છો.એ વસ્તુ સમજ પણ નથી આવતી. હું સાચું કહું છું."

થોડીવારમાં ફરી વૃજા પોતાના હાથમાં રાખેલી ચાબૂક પછાડી બોલી ઉઠી કે,

"જાણું છું તું કોઈને બચાવી રહી છે...!તું ઘણું બધું જાણી ચુકી છો.ત્યાં જઈને તે શું જોયું છે ? શું શું સાંભળ્યું છે?એ બધું જ તુરંત મને કહી દે...! હવે આનાથી વધુ મારી ધીરજની કસોટી ન કર...! તું જલ્દી બતાવ મને! તું ચિંતા ન કર તને કંઈ જ નહીં થાય. તું જો સત્ય કહીશ તો પછી હું તને અહીં ઉંચુ સ્થાન પણ આપીશ. અને હું જાણું છું ત્યાં સુધી પૃથ્વી વાસી એટલે ઓછું આયુષ્ય ધરાવતો જીવ! તારી આ જિંદગી હજારો વર્ષ લાંબી પણ કરી દઈશ. પહેલાં તું મારાં પૂછેલા સવાલોના જવાબ સાચે સાચાં આપી દે!"

   ચાબૂકનો છેડો ધરાની ફરતે પછાડતી એનો નક્કાર સાંભળવા ન માંગતી એ હજુ વધુ દબાણ કરી બોલી ઉઠી કે,

"મારી ઘીરજ હવે ખૂંટે છે. હું તારા પ્રાણ પી જાઉં એ પહેલાં સત્ય હકીકત મને જણાવી દે...!"

વૃજાનાં સવાલોનો અંત નથી આવતો અને ધરા પણ એને જોઈએ એવો કોઈ જ પ્રત્યુતર આપી રહી ન હતી.તેથી,વૃજા નિલક્રિષ્નાનાં વિરહની અગ્નિમાં આગ બબુલા થઇ વધારે તડપતી હતી.આટલા વર્ષો થયાં એ પોતાની ઘણી શક્તિઓ વાપરી ચુકી હતી.પરંતુ નિલક્રિષ્ના વિશે કોઈ જાણકારી હજુ સુધી મેળવી શકી ન હતી.તે વાતનાં ક્રોધને લીધે,એનાં આખાં શરીરમાં અતિશય કંપારી વધતી જતી હતી.વૃજા ધરાનો નક્કાર સાંભળી શકતી નથી.તેથી આંખો ફાળીને ગુસ્સાથી એની વધુ નજીક આવી રહી હતી.ત્યાં અચાનક નજીક ઉભેલા પક્ષીરાજ વાવ્ય એ કહ્યું કે, 

"હે મહારાણી વૃજા! તમારી શક્તિ આ ક્રોઘમાં બળી રહી છે.આ ઉદભવતી જ્વાળાઓ પર કાબૂ રાખો...!"

" કેમ કાબૂ રાખુ પક્ષીરાજ ! આટલાં વર્ષોથી હું જે શોધી રહી છું.એની માહિતી આ સ્ત્રી આપી શકે એમ છે.કોઈ પણ રીતે હું આ સ્ત્રીનું મોં ખોલાવીશ જ! જો આ સત્ય નહી બતાવે તો હું આ આખાં પવનમહેલને એક જ પાંખથી ચૂરેચૂરા કરી નાંખીશ."

"હું જાણું છું ત્યાં સુધી તમે એટલા મુર્ખ નથી કે,તમારાં હાથમાં આવેલી બાજી આમ બગાડી નાખો.મારી વાત માનો અને પહેલા થોડા શાંત થય આંખોમાંથી આ ક્રોધની પટ્ટી હટાવી દો...!"વાવ્યના શાંત થવાનું કહેવા છતાં વૃજા અટ્ટહાસ્ય કરી નાચવા લાગી ગઈ હતી.

" હાહાહા ! પક્ષીરાજ હું મુર્ખ નથી કે, આ સ્ત્રીને મોત આપું.આતો મારાં માટે નિલક્રિષ્ના સુધી પહોંચવાની એક માત્ર સાંકળ છે.એ સાંકળ હું ખોલીશ નહીં આને તો ગુંથ્યે જ જઈશ.આટલા વર્ષો પછી માંડ કંઈક હાથ લાગ્યું છે. મારી બનાવટી વાતો હજુ સુધી તમને નથી સમજાણી ? જાઓ જલદી આ સ્ત્રી જ્યાં સુધી મોં ખોલવા તૈયાર ન થાય ત્યાં સુધી એને કાળ કોટડીમાં બંધ કરી દયો...!એ અંધારી કોટડીમાં જતાં જ એનાં ચહેરા પર ડર છવાઇ જશે,અને એ સત્ય આપોઆપ મને કહીં સંભળાવશે."

આમ મોટા અવાજથી વૃજા બોલી રહી હતી.એ આવાજો મને પવનમહેલની બહાર પણ સંભાળાવા લાગ્યાં હતાં.મારો આત્મા પવનમહેલની અંદર જઈ શકતો હતો.પરંતુ મારું શરીર આ જગામાં જવા અસમર્થ હતું. પરંતુ મારે ધરા પાસે જવું જ હતું.

આ એક જ વાત ફરી વિચારતા મને ધરાને ત્યાંથી બહાર કાઢવાનો રસ્તો મળવા લાગ્યો હતો. મેં વિચાર્યું કે,"ધરાને ઉઠાવી જનાર પક્ષી આ વાવ્ય જ હતો. તો એ વારંવાર પવનમહેલની બહાર નીકળતો જ હશે.એનો સ્વભાવ સારો હોય એવું દેખાય છે.તો એની સાથે મૈત્રી કરવી પણ અઘરી વાત નથી...!"

આમ એટલે વિચારી શકી કે,પક્ષીરાજ વાવ્યને જોતાં મને એવું લાગતું જ હતું એ વધુ સમજદાર છે.અને આમ કોઈ જીવને નુકશાન થવા દે તેમ નથી.મારે વાવ્ય સાથે એક મુલાકાત કરવી જ હતી. મને ધરાને છોડાવવા માટે આ રસ્તો જ સાચો લાગી રહ્યો હતો.હું હવે વાવ્ય બહાર નીકળે એની જ રાહ જોવા લાગી ગઈ હતી. એની સાથે દોસ્તી કરવા માટે મારે પવનમહેલના પક્ષી જેવું સ્વરૂપ બનાવવું હતું. એટલે થોડાં વાદળો મારાં શરીરમાં પ્રવેશવા લાગ્યા. અને થોડું હવાનું દબાણ આપતા મારું શરીર, ચાંચ બધું જ તોતિંગ પક્ષી જેવું વિશાળ વિકસવા મડ્યું.મારું શરીર પવનમહેલના તોતિંગ પક્ષીઓ જેવું જ હુબહુ બની ગયું હતું. હવે રાહ એક જ વસ્તુની હતી કે, "વાવ્ય ક્યારે સમુદ્રમાં ચણ માટે મગરમચ્છને લેવા જાય એ બહાર નિકળે ને હું એની સાથે દોસ્તી કરી પવનમહેલની અંદર પ્રવેશ કરી જઉ...!"

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા "કૃષ્ણ પ્રિયા"✍️