The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દુનિયામાં ત્રણ પ્રકારના સત્ય હોય છે;એક મારું સત્ય બીજું તમારું સત્ય અને ત્રીજું જે વાસ્તવિક સત્ય છે એ અને આપણે આખી જિંદગી એ પુરવાર કરવા માટે લડીએ છીએ કે હું સાચો/સાચી.. કેટલાય સબંધો વેરવિખેર થઈ જાય છે ફક્ત આજ કારણ થી કે હું સાચો ને તમે ખોટા..અને સામે વાળી વ્યક્તિને પણ એમ જ લાગે કે તમે ખોટા અને હું સાચો..પણ સાચું ને સત્ય કંઈક બીજું જ હોય છે...જો આપડે સંબંધ રાખવો જ હોય નિભાવવો હોય તો સાચા ખોટાને બાજુ પર મૂકી એક બીજાને સાચા સાબિત કરવાની વાત ને સાઇડ પર મૂકી સબંધને મહત્વ આપવું જોઈએ....જો તમને એવું લાગે છે કે જીવનમાં ફક્ત સાચા હોવું જ મહત્વનું છ? કે એક સંબંધ જે આપડી ખુશીનું કેન્દ્રબિંદુ છે એ મહત્વનું છે!! તો થોડા આપણે નમીએ થોડા એ નમે ,થોડું તમે સમજો થોડું એ સમજે,ભૂલો એને કરી છે તો ભૂલો મેં પણ કરી છે,એનાથી મને hurt થયું છે તો મારી કોઈ વાતો થી એ વ્યક્તિ પણ hurt થઈ હશે...એમ વિચારીને.શું એ રીતે સબંધ ને ફરી હર્યો ભર્યો જીવંત ન બનાવી શકાય!!?
"સમયની સાથે કશું જ સરખું થઈ જતું નથી. બસ,આપણે પરિસ્થિતિ મુજબ આપણી જાતને ઢાળીને જીવતા શીખી લઈએ છીએ.."
"કેટલાક દુઃખ હવે મને રડાવતા નથી પણ મને શાંત બનાવી દે છે.ચહેરા પર હાસ્ય હોય છે પણ હસવામાં પહેલા જેવો આનંદ નથી..ઘણું બધું સાંભળું છું પણ હૃદય સુધી અમુક j પહોંચે છે..લોકો એને સમજદારી સમજે છે પણ મને જ ખબર છે એની પાછળ કેટલું દર્દ સહુ છું.."
"હવે કોઈ ઓળખ બાકી રહી નથી.. ના કોઈ સંબંધ નો ભાર,ના કોઈથી અપેક્ષા. રહું છું બધાની વચ્ચે,પણ મારી અંદરની દુનિયામાં જ જીવું છું..લાગણીઓના સૂત્રો શાંત થઈ ગયા છે,હવે કોઈની આશા કે કોઈના પર આધાર રાખતો નથી..મૃત્યુનો રોજ અનુભવ કરું છું ને મારા અસ્તિત્વને શાંત દર્શક બની ને જોઈ રહું છું."
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser