Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏દરેક વખતે રમી ને જ રાષ્ટ્રપ્રેમ સાબિત કરી શકાતો નથી.

ક્યારેક ના રમીને પણ રાષ્ટ્રપ્રેમ સાબિત કરવો હોય તો કરી શકાય છે.🦚🦚

- Parmar Mayur

Read More

કોઈને ચાહવું એટલે બસ પામી જ લેવું?

જો પ્રેમ આ જ છે તો પછી મોટાભાગની અમર પ્રેમની કહાનીઓ અધુરી ના રહી હોત.

દરેક ને ઝંખના હોય છે પામવાની ના નથી.

પરંતુ મોટાભાગના પ્રેમના પ્રસંગો વિરહની તપતી ધૂપમાં જ સુવર્ણની જેમ ચળકાટ પામ્યા છે.

ઉદાહરણ તરીકે સમજીએ તો સોની મહિવાલ, લૈલા મજનુ કે પછી હીર રાંઝણા જુઓ.

આ બધા જ પાત્રો મિલન કરતાં વિરહમાં પણ પોતાના પાત્ર પ્રત્યેની એક નિષ્ઠા નાં કારણે આજે લોકજીભે પ્રેમની વાતો આવે ત્યારે તરત જ સ્મરણમાં આવે છે.

જેમ જેમ પ્રેમ માં જુદાઈ વધે છે, તેમ તેમ પ્રણયની તિવ્રતા જો એટલી જ જળવાઈ રહે છે.

તો પછી માની શકાય કે પ્રણય ગમેતેવી કપરી કસોટીમાંથી પાર ઉતરી જશે.

ક્યારેક ના પામીને પણ પામી લીધાનો અહેસાસ 'ચાહત' બતાવે છે. તેમાં તિવ્રતા કરતાં સંયમની વિચારણા યોગ્ય રહે.

કહેવાય છે કે જેના પ્રત્યે ચાહત છે તેનો વિરહ અસહ્ય હોય છે. હા હોય છે.
આમ તો 'વિરહ' જ મિલન કરતાં પ્રેમનો સાચો માપદંડ આપતો હોય છે.

માણસ મળીને સ્નેહનો ભાવ બતાવે છે.
તેમાં તેની વ્યવહારિક બુદ્ધિ દ્વારા સમજણપૂર્વક નો ભાવ હોય છે.

જ્યારે વિરહ થી તડપતો માણસ જુદાઈમાં પણ કાયમી મિલન જેટલો જ પ્રતિસાદ આપે છે.

બસ ત્યારે ખરેખર તેનો પ્રેમ
એક અલગ જ મુકામ હાંસિલ કરેલ હોય છે.

Read More

🙏🙏માણસ પોતાની જરૂરિયાત મુજબ 'મહત્વ' આપે છે. તે સત્ય કડવું છે.

મોરના 'ટહુકાને જ સાંભળવા માંગતો માણસ કાગડાને 'કાગ કાગ' કહીને બોલાવે છે.🦚🦚
- Parmar Mayur

Read More

સાંભળ્યું છે કે જેને ચાહત હોય છે જીસ્મ થી.

તે લોકો ખુબજ સમય આપે છે.
પોતાના ગમતાં પાત્રને ખુશ કરવા.

બસ પોતે ખુશ થતાં સુધી,
પછી અસહ્ય દર્દ આપે છે.

તે લોકો જીભથી ખુબજ મીઠાં હોય.
ખુબજ જ મીઠાં સ્વાર્થ પુર્ણ થતા સુધી.

પછી મનની કડવાશ જીભથી અને સ્વભાવથી દેખાય.

હા જીસ્મ ની ચાહત હોય,
જ જાદુગર જેવી.

જાદુ નું સંમોહન ખત્મ,
પછી વાસ્તવિકતા દેખાય સાચી.

Read More

🙏🙏જે છે તે જ કહે તે "મિત્ર" જે નથી છતાં પણ તે કહે તે શત્રુ કે પછી ચાપલૂસ.🦚🦚

- Parmar Mayur

🙏🙏સાગર કિનારે ઉભેલી નાળિયેરી સાગરને કહી રહી છે કે,

ભલે રહી તારા પાણીમાં અઢળક ખારાશ,
મને તે તારા કિનારે આશરો જો આપ્યો છે.

મારાથી બનતાં તમામ પ્રયત્નો થકી હું તારા માટે કંઈક તો કરીશ.

હે સાગર તારાં ખારાં પાણીને મીઠું જળ બનાવવાનો મારાથી બનતો પ્રયાસ અવશ્ય કરીશ.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏જે રાષ્ટ્રનાં 🇳🇵નેતાઓ ભ્રષ્ટ થાય છે.
તે રાષ્ટ્રની પ્રજાને પીડા અને તકલીફો વેઠવા તૈયાર રહેવું પડે છે.

જ્યારે પ્રજા અતિશય તકલીફો થી ત્રસ્ત થાય છે ત્યારે નેતાઓએ માર ખાવા કે દેશ છોડવા તૈયાર રહેવું પડે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏સત્ય 'સુર્ય અને ચંદ્ર' સમાન છે. તેનું થોડો સમય માટે ગ્રહણ થઈ શકે છે પરંતુ નાશ નહીં.

તે વધું "તેજ ઉર્જા' સાથે દેખાય છે અને પોતાનાં 'અસ્તિત્વ' ની ખાતરી આપે છે.🦚🦚

- Parmar Mayur

Read More

પ્રકૃતિ રિસાઈ રહી છે.

તેનું તાંડવ જોતા તો લાગી જ રહ્યું છે.

પર્વતીય વિસ્તારોમાં આભ ફાટી રહ્યા છે.
જે લોકોને આભ જેવું હ્ર્દય ફાટ આક્રંદ કરાવે છે.

ખળ-ખળ વહેતી સરિતાઓ ધડ-ધડાટ વહીને પોતાનાં જળમાં કિનારાની જમીનોને વધુને વધુ દબાવી રહી છે.

સમૃદ્ધ પણ તોફાને ચડે છે, વૃક્ષો પવન નો માર વેઠી શકતાં નથી અને મૂળ સાથે જમીનદોસ્ત થઈ રહ્યા છે.

હા,પણ તે વૃક્ષો ને માણસનાં કુહાડીના ઘા કરતા મૂળ સહિતનો મોક્ષ ગમશે.

આવું બધું કેમ થઈ રહ્યું છે, જે માણસને ગમતું ના હોય?

કંઈક તો કારણ હશે જ

અહિયાં કૃષ્ણની ભગવદગીતા યાદ આવી.

હા તે બધા સત્ય માણે છે, તો પછી તેને તો યાદ કરવી જ પડે.

કર્મનો સિદ્ધાંત:- માણસને તેની સાથે ના ગમતું કર્મ કોઈ તેની સાથે ના કરે, તો તેને પણ કોઈને ના ગમતું કર્મ ના કરવું જોઈએ.

બસ સમજાઈ ગયું ને
પ્રકૃતિ કેમ રિસાઈ છે.

એમ જ તો થોડી આ રીતે પ્રકૃતિ કોપાયમાન થાય!

ઈશ્વરે પૃથ્વી પર માણસ સાથે પશુપક્ષી અને પ્રકૃતિનું પણ નિર્માણ કર્યું.

મારું તો માનવું છે કે માણસ સાથે દરેક સજીવ પણ પ્રકૃતિનું જ અભિન્ન અંગ છે.

કોઈનાં વિચારે અલગ પણ હોય શકે,
તેમાં પણ ના નથી.

મનુષ્ય જ્યારે જીવંત પ્રકૃતિ સાથે રહેતો ત્યારે બન્ને વચ્ચે એક એકત્વભાવનું તાદાત્મ્ય બની રહેતું હતું.

મનુષ્ય હળીમળીને હરિયાળી સાચવતા અને માણતા.
પ્રકૃતિ મનુષ્યને તંદુરસ્તી આપીને સંતોષ સાથેનું સુખ આપી ને સાચવતી.

બન્નેને ત્યાં સુધી કોઈ વાંધો ના હતો.

માણસ પ્રકૃતિ વચ્ચે રહીને તેનાં પ્રાકૃતિક ધનાઢ્ય વૈભવને માણતાં ખરેખર તે સમયે પ્રકૃતિ પણ પ્રફુલ્લિત રહેતી.
કેમકે માણસ માણતાં હતાં મારતાં ના હતાં.

બસ જ્યારથી માણસ જડ ઈંટ, કપચી અને રેતીના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. પ્રકૃતિના વિકાસ ને મારીને ખુદનાં વિકાસ નાં નામે.

ધીરે ધીરે માણસ વધું પ્રમાણમાં જડત્વ સાથે રહેતા જ જડતા આવવા લાગી.

જડતા આવે જ.

કેમકે પથ્થર શ્વાસ થોડા આપે.

જે મૃત છે તેનામાં હકારાત્મક ઉર્જા થોડી પ્રાપ્ત થવાની.

મૃતમાં પણ પ્રાણ પુરવા પડે. એટલાં સમર્થ હજુ અણસમજુ માનવ ક્યાં?

જ્ઞાની એવું કરશે નહીં.


બસ માણસ જેમ જેમ જડ,મૃત પદાર્થો થી ઘેરાતો ગયો એટલો જ પ્રકૃતિથી રિસાઈ જવા લાગ્યો.

હવે કોઈ વારંવાર અણ દેખું કરે કે કરે અદેખાઈ અને પાછું નુકશાન પણ કરે.

તો પછી રિસાઇ જાય પછી પ્રકૃતિ હોય કે માણસ.

માણસ કરતાં પ્રકૃતિ તો ઘણા ત્રાસ પછી રિસાઈ છે.

માણસોનું તો શું કહેવું! બસ જરા અમથી સુવિધાઓ માટે પણ અઢળક નુકશાન કરે.

જો સુવિધાઓ ના મળી તો પણ ગુસ્સા સાથે રિસાઈ જાય.
સાચું છે ને?

બસ પ્રકૃતિ પણ માણસને જોઈને જ શીખી ગઈ છે જેવા સાથે તેવા.

Read More

🙏🙏જો🇮🇳 આપણે શિયાળ 🇦🇸 જેવા કપટી દુશ્મનની પ્રશંસાથી ફુલાઈ જઈએ છીએ.

તો પછી કાગડાની 🇵🇰 માફક પુરી ખોવાના વખત આવે જ છે.🦚🦚

- Parmar Mayur

Read More