Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏ઘોર ધુમ્મસ, પડ્યા પાછાં ઝાકળનો પાણી કુદરત તારી લીલા લાગે મને નિરાલી.

તું સમજી ને કુદરત સાથે ડગ માંડે માણસ તો તેની દોસ્તી લાગે પ્યારી.🦚🦚

Read More

ક્યારેક હૈયું દ્રવી ઉઠે છે.
આવાં સમાચાર વાંચીને.

હિંસાની પણ પરાકાષ્ઠા આવી દર્દનાક હોય!

જે હાથથી મંગળસૂત્ર સ્નેહપૂર્વક બંધાયું હશે.
તે જ હાથથી તે જ ગળા પર જખ્મી ઘા થાય?

કેવી વિચિત્ર વિચારધારા કે પરિસ્થિતિ હશે ઘા કરનારની.

કોઈનો કદાચ દોષ હોય બની શકે.

ના નથી.

તેનો મતલબ બસ નિર્દય બની સાથે રહેનાર ને મૃત્યુ ની કલ્પના સુધી કોઈને પહોંચાડી દેવું.

આ તો કેવો પ્રેમ? અરે; રે, પ્રેમ નહી! આતો કેવી ધૃણા રહી.

અરે ધૃણા ની પણ એક પરાકાષ્ઠા હોય.

જીંદગીમાં કોઈ વ્યક્તિ, કાર્ય પસંદ નથી કે ઇરછા વિરુદ્ધ છે.

તો બેદખલ થઈ જાવ કે વ્યકિતને બેદખલ કરી દો.

બસ દૂર થઈ જાવ.

કે પછી સમાજથી બગાવત કરીને પણ કોઈ એવો નિર્ણય લેવો જોઈએ જેથી હિંસા ના થાય.

હિંસા જ ક્યારેક અક્ષમ્ય ગૂન્હો બની જતી હોય છે.
જેનો પસ્તાવો જીંદગીભર ડંખે છે.

જીંદગી છે દરેકને જીવવી હોય છે
મુકિત થી!

પ્રેમ મુકિત આપે છે અને તે મુકિત જ પછી ખુશી થી બંધન સ્વીકારે છે.મારા વિચારો અનુસાર.

Read More

🙏🙏દેવોએ તો રોજેરોજ ખુદને આંગણિયે દીપક પ્રજ્વલિત કર્યાં છે.

જુઓને, સુર્ય, ચંદ્ર અને તારલિયામાં 'કલ્યાણ અર્થે પ્રકાશ પ્રજ્વલિત' કર્યો છે.🦚🦚

🚩🪔દેવદિવાળી નાં પાવનપર્વની સર્વને શુભેચ્છાઓ🪔 🚩

Read More

જ્યારે મૌન રહીને શબ્દોને હૈયે અજંપો થાય છે.
બસ પછી ગઝલનું કાગળ પર આલેખન થાય છે.

- Parmar Mayur

અહમ્ થી લખવું અને અહેસાસથી લખવું ઘણો તફાવત હોય.

અહમ્ માં ફક્ત 'હું' હોય અને અહેસાસ માં 'તું' અને 'હું' હોય.

- Parmar Mayur

Read More

🙏🙏 આજે માંઘા 'પિઝ્ઝા ખાઈને' પણ સતત ડિપ્રેશન માં રહેતી પેઢી

જેની સામે પાંચ પૈસાની 'મોસંબી ની ગોળી' ખાઈને જીવેલી પેઢી,

ખરાં અર્થમાં "આનંદ અને તૃપ્તિની" સાચી વ્યાખ્યા શું થાય તે સમજાવી જાય છે.🦚🦚

🍭🍭National candy day 🍬🍬

Read More

🙏🙏ઘરનું રસોડું સંભાળતી "સ્ત્રી" સાથોસાથ દ્ઢ નિશ્ચય અને મહેનતના દમ પર 'વર્લ્ડકપની ટ્રોફી' (સફળતા)પણ પ્રાપ્ત કરી શકે છે.🦚🦚

🤵‍♀️National House wife day 🤵‍♀️

Read More

🙏🙏તું કટાણે આમ વારંવાર આવે શોભે નહીં તને બાપ મેહુલિયા.

દયા રાખજે મુંગા પશુની, શાંત થાજે! એ ક્યાં જાશે બાપ મેહુલિયા.🦚🦚

Read More

🙏🙏નિણર્ય.

એક નાનો શબ્દ છે પરંતુ ઘણુંબધું બદલી કાઢવા સક્ષમ છે.

એક નાનો નિણર્ય વર્તમાન થી લઈને ભવિષ્ય બદલી કાઢે છે,
ઇતિહાસ સાથે જે તે દેશની કે પ્રદેશની ભૂગોળ ને પણ બદલી કાઢવાની ક્ષમતા છે.

અરે, એક થઈને એક નિર્ણયથી સત્તા અને શાસક ને લોકશાહીમાં બદલી કાઢે છે.

બસ આ રહી નિર્ણયશક્તિ ની તાકાત!!

જે વ્યકિતમાં કોઇપણ પરિસ્થિતિમાં યથાયોગ્ય નિણર્ય લેવાની શક્તિ છે.

તે વ્યક્તિ એક યોગ્ય નિર્ણય દ્વારા ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરીને પોતાને યોગ્ય સ્થિતિનું નિર્માણ કરે છે.

જેનામાં નીડરતા અને વિવેક સાથે નિણર્ય લેવાની આવડત છે, તે જ સાચો 'સરદાર' બની શકે છે.

જો યથાયોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તેના પરિણામ ત્વરિત કે લાંબાગાળે પણ લાભદાયક રીતે પ્રાપ્ત થાય છે.

જેમ કે વલ્લભભાઈ પટેલે સમય અનુસાર હૈદરાબાદ,જૂનાગઢ પર લશ્કરી પગલાં લઈને પણ નવાબ અને રઝાકારો ને હરાવી હૈદરાબાદ, જૂનાગઢ ને ભારતમાં ભેળવી લીધું.

જ્યારે તેવાં જ નિર્ણયો જો યોગ્ય રીતે લેવામાં ના આવે તો તેના પણ દુષ્પરિણામો લાંબાગાળા સુધી ભોગવવા પડે છે.

જેમકે જમ્મુ કાશ્મીરનો નિર્ણય જે તે સમયે યોગ્ય રીતે લેવામાં ના આવ્યો તો હજું પણ ત્યાં ફેલાઈ રહેલા આતંકવાદથી સંપુર્ણ દેશ હેરાન થાય છે.

આજ રીતે જીંદગીમાં પણ ઘણા જ નિર્ણયો જો યોગ્ય સમયે લેવામાં ના આવે તો વળતર રૂપે અફસોસ, નિરાશા કે નુકસાન મળે છે.

જીંદગીમાં જ્યારે ખુદનો પ્રશ્ન હોય!
શું નિર્ણય લેવો?
તેનું કોઈનાથી માર્ગદર્શન ના મળતું હોય,
ત્યારે ખુદની જાતને ખુદાની સાક્ષીએ રાખીને પુછો ચોક્કસ શું નિર્ણય લેવો તે ખુદનું મન જણાવશે.🦚🦚

🤝સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને નમન અને આ લેખ સમર્પિત 🤝

Read More

🙏🙏પોતાના લોકોને 'એક કરીને' તેમના માટે શું સારું? અને શું ખરાબ છે? તેનો યોગ્ય નિર્ણય કરનાર 'સરદાર' (લીડર) બની શકે છે.🦚🦚

🤝National unity day ✊

Read More