Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏ક્યારેક જે હોય છે તે ખરેખર હોતું નથી.

બસ દેખાય આવે છે.
ઝાંઝવાનાં જળ સમાન.

કોઈ જાદુગરની જાદુગરી સમાન.
ફક્ત આભાસ! નથી પણ છે તેનો.

જો આ આભાસ છે.
તે સત્ય જો જાણ્યું તો ઘણું છે.

બધું જ આપોઆપ સમજાઈ જશે.
મતિ ભ્રમ ત્વરિત દૂર થશે.

પછી જે સ્નેહની કૂંપળ ફૂટે છે,
તે કૂંપળ નું વિસ્તરણ થાય છે.
તેનું આયખું ટુંકુ નહી!
વૃક્ષ બની વ્યોમમાં ફેલાઇ જાય છે.

ક્યારેક સુરજની ગેરહાજરીમાં "નાના ફાનસ" નો થોડાં ઉજાસ.
પવનની ગતિમાં પણ આગળ 'પગલું મુકવા' માટે માર્ગ દશ્યમાન કરાવે છે.

ત્યારે આ 'નાનો ઉજાસ' સુર્ય સામે કંઈ જ નથી તે ભ્રમણા ભાંગી નાખે છે.

વાસ્તવિકતાનું ભાન સાથે જીવવામાં આવતા જીવનમાં કદાચ ભ્રમણા થઈ શકે પણ ઝાઝો સમય 'ટકી' ના શકે.

આમ પણ "ભ્રમણાઓ" ભાગ્યા પછી ની વાસ્તવિકતા સંતોષકારક હોય છે‌.

બસ સ્વને જાણીને સત્ય તરફની 'ઉર્ધ્વ ગતિ' અનુભવવા જેવી હોય છે.🦚🦚

Read More

🙏🙏અભણ માણસ પણ થાળીમાં પડેલા 'અન્નનો આદર' કરે છે અને તેનો બગાડ થવા દેતો નથી.

બસ તો ભલે પછી શિક્ષણ થોડું ઓછું હશે પણ 'સંસ્કાર' શ્રેષ્ઠ કક્ષાના હશે.🦚🦚

🍜World food day 🍝

Read More

કંઇજ કર્યા વિના કંઈ કશું જ મળે છે.
નિયતિ પણ કંઈક કર્મ કરવા પ્રેરિત કરે છે.

- Parmar Mayur

🙏🙏જીંદગી ખરેખર તું અમુક સમયે અચરજ કરાવે છે.

જેના માટે જી જાન લગાવી દીધી હોય.
જેના માટે અઢળક પ્રયત્નો કર્યા જ હોય.

છતાં પણ ત્યાંજ તું ના આપીને હાથતાળી આપીને જતી રહે છે.

એક બાજુ કદી કલ્પના પણ ના કરી હોય.
જેના વિશે કદી મનમાં વિચાર્યું પણ ના હોય .

એ જ ના વિચારેલ વાસ્તિવક રીતે પ્રાપ્ત થઈ જાય,
તે પણ એક દમ સરળ, સુલભ અને સહજતાથી થાય.

જીંદગીનું ભવિષ્ય ક્યારેક ખરેખર સુખદ રીતે કે દુઃખદ રીતે વિસ્મય પમાડી જતું હોય છે.

બસ આપણી તમન્ના તો સુખદ્ અચરજ આપે તેવી જ રહે ખુદને પણ અને અન્યને પણ!!!🦚🦚

Read More

તેની ફરિયાદમાં વિરહની વેદના હતી.
એટલે મિલનની ખેવના પણ હશે જ.

તેના સ્વભાવ ની મૃદુતા હશે,
ચોક્કસ હૃદયસ્પર્શી.

આંખોની કિનારીઓ,
મિલનમાં પણ ભીની હશે.

કિસ્મતની મરજી મનની મરજી સાથે થશે.
બસ પછી ના ઝંખેલી ઝંખનાઓ પુર્ણ થશે.

- Parmar Mayur

Read More

🙏🙏માંની કૂખમાં જ જીવનું મૃત્યુ.
જેને હજુ દુનિયા જોઈ જ નથી.

કોઈ ગૂનો પણ કર્યો નથી છતાં પણ જન્મ પૂર્વ જ મૃત્યુદંડ!

કેવી નિર્દયતા?
તે પણ માણસ દ્વારા જ.

જાનવરો સારા કહેવાય કે શિક્ષિત નથી.
છતાં પણ તેમનામાં શિશુ પ્રત્યે અનહદ્ સ્નેહભાવ હોય.
ખુદ મૃત્યુને શરણ થઈજાય છે કિન્તુ તેનાં શિશુને આંચ પણ ના આવવા દે.
તેવું જાનવર સારું કહેવાય જેનામાં મમત્વ ભાવ છે

જ્યારે માણસ બસ એક દીકરી જન્મવાની છે.
તે તેનાં દિમાગી શિક્ષણ દ્વારા પૂર્વ જ જાણી ગયો.

બસ તે દીકરીના જન્મ પૂર્વ જ.
મૃત્યુ માટેની તૈયારી કરવા લાગ્યો.
હૈયામાં પણ આટલી હદે ધૃણા સમાવી શકે?

ખરેખર તે માણસ છે?

એક લાચાર માં સામે જ પોતાના રક્તને નામશેષ કરવાનું સાહસ.

અરે સાહસ ના કહેવાય આતો દુઃસાહસ કહેવાય.

આવા 'દુઃસાહસ ને મજબુરી' નું ઉપનામ ના આપવું જ બહેતર રહે.

આવા કૃત્યો કરનાર માણસો કરતાં તો જેના પુતળા બાળે છે તે રાવણ લાખ દરજ્જે સારો હતો.🦚🦚

Read More

🙏🙏દીકરો 'માબાપને વૃદ્ધાશ્રમમાં મુકવા' જાય છે. તે તેની 'કાયરતા' દર્શાવે છે.

જ્યારે દીકરી જો 'માબાપને વૃદ્ધાશ્રમ માંથી લેવા જાય છે, તો તે તેની 'હિંમત' દર્શાવે છે.🦚🦚

👧World girl child day 👱‍♀️

Read More

🙏🙏તું ચાંદ ખરેખર પ્રેમી જેવો જ છે.
એકદમ ધર્મ નિરપેક્ષ.

હા,પ્રેમમાં પડેલ વ્યકિતને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી હોતી બસ તે વ્યક્તિ સાથે જ હોય છે.

જો પ્રેમનું બંધન હોય તો!

આ ચાંદ પણ તેવો જ છે.
કોઈને હદયથી બંદગી કરવી હોય તો તે ઇદનો ચાંદ બની દેખાઈ આવે છે.

કોઈને કડવા ચોથનું વ્રત તેની સાક્ષીએ કરવું છે તો પણ દ્રશ્ય માન થઈ જાય છે.

તે કદી હિન્દુ મુસ્લિમ કરતો નથી.
અરે, તે 'ચાંદ' છે થોડો 'રાજનેતા' છે.

ચાંદ તો ચાંદ છે શ્વેત તો પણ કોઈને તેના એકાદ બે કાળા દાગ વિશે બોલવામાં આત્મસંતોષ થાય છે.

હશે જેનો જેવો વિચાર બસ મને તો ચાંદ ધર્મ નિરપેક્ષ દેખાયો છે.🦚🦚

Read More

🙏🙏પોતાનો જ 'ધર્મ શ્રેષ્ઠ' છે તે માણવું યોગ્ય છે પરંતુ પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે તે કોઈને જબરજસ્તી મનાવવું 'પાગલપન' છે.🦚🦚

🧠World mental health day💕

Read More

🙏🙏વોટ્સએપ પર 'ટાઇપ' થતાં શબ્દો કરતાં "કાગળ" પર લખાયેલા શબ્દોમાં સંવેદના અને લાગણી વધુ અનુભવાતી હતી.🦚🦚

🗓️World post day 📫

Read More