Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏માણસની "નૈતિકતા અને ઈમાન" પ્રથમ તુટે છે બાદમાં 'પુલ, રસ્તા અને વિમાનો' સાથે કેટલાય 'ઘર' તુટે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏જો, ને એકાંત કેવું પ્રત્યક્ષ તને સમીપે લઈને પાસે આવે છે.

આંખો કરી બંધને છબી મસ્તિષ્ક થી હદયમાં ખેંચાઈ આવે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏જગતમાં વધી રહ્યા માણસો બસ "માણસાઈ" ઘટી રહી છે.

ટોળેટોળા ભેગા થઈ રહ્યાં, સંસ્કાર સંપની "સભાઓ" ઘટી રહી છે.

👭👬વિશ્વ વસ્તી દિવસ 👬👭
- Parmar Mayur

Read More

🙏🙏દરેકની "જીંદગી" છે, દરેક તેને 'જીવે' પણ છે.

પરંતુ તે જીંદગીને એક યોગ્ય "ઢબ અને ભાવ" સાથે કેવી રીતે જીવવી? તે શીખવનાર દરેક 'વસ્તુ, વ્યક્તિ કે પ્રકૃતિ' તમામ 'ગુરુ' સમાન છે.🦚🦚

🧘‍♂️ગુરુપૂર્ણિમા ની શુભકામના 🚩

- Parmar Mayur

Read More

🙏🙏કોઈ વ્યક્તિ વિશે "ધારણા" બાંધવી ખોટી હોતી નથી પરંતુ તે વ્યક્તિ આપણી ધારણાઓ મુજબની જ હશે, તે 'વિચારણા' ક્યારેક ખોટી સાબિત થતી હોય છે.

કેમ કે આપણે આપણા 'વિચારો' મુજબ ધારીએ છીએ અને સામેવાળી વ્યક્તિ કદાચ તેની 'પરિસ્થિતિ' મુજબ રહેતી હોય.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏વ્રત એ ખુદનો 'સંયમ' અને ઈશ્વર પ્રત્યેની 'શ્રદ્ધામાં' વધારો કરે છે.🦚🦚

- Parmar Mayur

🙏🙏"ભગવાન કરે તે ખરું".

જો આપણા આ શબ્દો છે તો પછી તેના દરેક "ફેંસલા" પર 'શ્રદ્ધા' હોવી જોઈએ 'શંકા' નહીં.

કેમકે ઈશ્વર 'શ્રદ્ધાથી' જીતી શકાય છે શંકાઓ થી તો આપણે આપણું મન પણ જીતી શકતા નથી.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏ક્યારેક એવી "પરિસ્થિતિનું" નિર્માણ થતું હોય છે કે આપણે શું નિર્ણય લેવો તે વિચારી શકતાં ના હોય.

આવા સમયે અન્ય 'સમજું માણસ' સાથે 'વિચારવિમર્શ' કરીને અંતે પોતાની "અંતરાત્મા" શું કહે છે.

તે મુજબ નિર્ણય લેનાર વ્યક્તિ તે 'વિપરીત પરિસ્થિતિમાંથી' બહાર નીકળી શકે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏જો કંઈક ખોવાઈ જવાનો 'ડર' રહે છે તો પછી કંઈક પામ્યા નો 'આનંદ' માણી શકવાના નથી.🦚🦚

- Parmar Mayur

🙏🙏એકબીજાની ભાષા ભલે સમજી શકો નહીં કોઈ દુઃખ નથી.

બસ સમજવી હોય તો સમજજો પરસ્પરની લાગણીઓ તેના જેવી સારી બીજી કોઈ વાત નથી.🦚🦚

- Parmar Mayur

Read More