The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏🙏આકાશમાં ચમકતા ચાંદને તારાઓ પાસે પહોંચવું માણસની સિદ્ધિ ગણી શકાય છે. જ્યારે માનવનું એકબીજાં નાં 'મનથી મન સુધી પહોંચવું' પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી ગણી શકાય છે.🦚🦚 🌌National space day 🚀 - Parmar Mayur
🙏🙏એક મંદિરના દ્વારે લખેલું વાક્ય. ઈશ્વરને ના ગમતું બહાર ત્યજીને આવશો તો અંદરથી ઘણુંબધું પ્રાપ્ત થશે.🦚🦚 - Parmar Mayur
🙏🙏થોડી વાત નાની છે પણ સમજવા જેવી છે. જે નાના હાથોમાં મોબાઈલ વધુ પડતો આવશે તે હાથમાં પેન, પુસ્તક ઓછા અને ચપ્પુ, બંદુક વધું આવશે.🦚🦚 - Parmar Mayur
🙏🙏જીવનની સાચી સફળતા અને સાર્થકતા એટલે શું ? સિકંદર તલવારનાં દમ પર દુનિયા જીતવા નીકળ્યો ત્યારે જે ખુશી હતી. દુનિયા નો અડધો ભાગ જીતીને પણ અંત સમયે તે ખુશી મુખ પર ના હતી, અફસોસ હતો. મહાવીર, મહાત્મા બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘરેથી નીકળ્યા ત્યારે જે ખુશી હતી તે જ ખુશી અંત સમય સુધી ચહેરા પર ઝળહળી રહી હતી, જળવાઈ રહી હતી.🦚🦚 - Parmar Mayur
મારી જરા પણ ના નથી, તને ગમતો મનગમતો ફોટો પાડ. બસ કોઈ દિવસ સાચા ને કદી સ્વાર્થ ખાતર ખોટો ના પાડ. - Parmar Mayur
તું જુદાઈના કારણો શોધી ખુદ દુઃખી થાય છે. હું મિલનની પળો વાગોળી જોને ખુશ થાવ છું. - Parmar Mayur
ક્યારેક વધારે ચાહ્યું હોય તે વ્યક્તિ બદલાઈ ગયેલું લાગે છે. હા, લાગતું જ હશે, કેમકે ચાહતમાં રહી છે, ઘેરી માદકતા. જ્યારે તે પાસે હોય ત્યારે તે જે છે તે નહીં. પરંતુ વિચાર ખુદનો જે કલ્પના કરે તે મુજબ. વ્યક્તિ બદલાઇ છે, સમીપે રહીને ખુદનાં વિચારે. થોડી દૂર રહી કે થઈ તો પણ બદલાઈ ખુદનાં મનનાં વિચારે. બસ તો પછી તે વ્યકિતનો દોષ?? તેમ છતાં આરોપી બની! ઉભો અન્યનાં વિચારોનાં કઠેરામાં. ન્યાયની આશાએ જ કે બસ વિચારો બદલાઈ. વિચારો બદલાઈ અને મળે ન્યાય?? હા કેમ નહીં, વિચારો બદલાઈ જવાથી તો વ્યક્તિ બદલાઈ ગયું તો એ જ વિચાર બદલવાથી કેમ ના બદલાય,, અને આ ન્યાયથી, બસ એક જ પળમાં બદલાઈ ગયું. બસ કોઇપણ બદલો લીધાં વિના જીવન!!!
🙏🙏એક આખે આખો અદભૂત ભૂતકાળ સંગહીને બેઠો છું. આલ્બમ ફોટાનો ખુલતા જ યાદોને જીવંત કરવા બેઠો છું.🦚🦚 📸World photography day 📸 - Parmar Mayur
ક્યારેક ગુસ્સો ખુબજ આવે છે. કોઈ પ્રત્યે તો ખુદની જાત પર. રોજ સાથે રમતા જ લોકો રમત રમી જાય ત્યારે આવે છે. ગુસ્સો એ પણ અઢળક એ લોકો પ્રત્યે. એવાં લોકો પર વિશ્વાસ કર્યો. આ વિચારે ગુસ્સો આવે છે જાત પ્રત્યે. આપણે લાગણીઓ માટે રમતાં હોય. એ જ લાગણીઓથી જ રમી જાય. ત્યારે ગુસ્સો આવે છે, ના નથી. હા પણ એક વાત કહું; ક્યારેક શાંત ચિત્તે વિચારવા જેવું ખરું! કે ખરેખર રમત જ કરી છે કે કોઈ કારણસર??? બસ આ જાણ્યા પછી,,, જો લાગે કે લાગણીઓ સાથે રમત જ કરે છે. બસ તો પછી તેને દાવ આપવાની ભૂલ શીદને કરવી?? રમતમાંથી હટી જાવ કે પછી હટાવી દો. દરેક વખતે જીતવું કે હારવું ક્યાં જરુરી હોય? કોઈ વખત ના હાર કે ના જીત. બસ સ્વીકાર ભાવ દ્વારા ગુસ્સો શાંત કરી શકાય.
🙏🙏જીંદગી "જરુરીયાત" મુજબ જીવવામાં તો કોઈ 'તકલીફ' નથી. બસ, તકલીફો તો 'હદ કરતા' વધુ ખ્વાહિશો (અપેક્ષાઓ) ઉભી કરે છે.🦚🦚 - Parmar Mayur
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser